નોકરાણી પર બળાત્કાર કરવાના ગુનામાં સંડોવાયેલા ફિલ્મ અભિનેતા શાઈની આહૂજાની ન્યાયિક અટકાયત 16 જૂલાઈ સુધી વધારી દેવામાં આવી છે. શાઈનીને ગુરૂવારે અંધેરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં કોર્ટે તેના રિમાન્ડ વધારવા આદેશ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે શાઈની આહૂજા પર તેની 18 વર્ષીય નોકરાણીએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. નોકરાણીના મેડિકલ તપાસ અને શાઈનીના ડીએનએ રિપોર્ટમાં શારીરિક સંબંધની પુષ્ટિ કરવામાં આવતા શાઈનીની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
આ વચ્ચે પોલીસે એ પણ દાવો કર્યો હતો કે શાઈનીએ પોતાનો ગુન્હો કબૂલ કરતા કહ્યું હતું કે તેમણે નોકરાણીની સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. જો કે સાર્વજનિક રીતે શાઈની તરફથી આ પ્રકારનું કોઈ નિવેદન પ્રકાશમાં આવ્યું નથી. બીજી તરફ શાઈનીની પત્ની અનુરાધાએ પોતાના પતિનો બચાવ કરતા બળાત્કારના આરોપને એક ષડયંત્ર ગણાવ્યું હતું.
|