મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > ચિંદબરમ બજેટ મુદ્દે ચૂપ !
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ચિંદબરમ બજેટ મુદ્દે ચૂપ !
વાર્તા
સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન યુપીએ સરકારના ગત કાર્યકાળમાં પાંચ વાર બજેટ રજુ કરનાર પૂર્વ નાણામંત્રી અને વર્તમાન ગૃહમંત્રી પી ચિંદબરમે લોકસભામાં પ્રણવ મુખરજીના સામાન્ય બજેટના ભાષણને ઘણું ધ્યાનથી સાંભળ્યું હતું પરંતુ સંસદની બહાર આવ્યા બાદ આ બજેટ અંગે અસાધારણ ચુપકીદી સાધી હતી.

જોકે બાદમાં તેમના મંત્રાલય દ્વારા લેખિતમાં એક નિવેદન પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. યુપીએની ગત સરકારમાં નાણામંત્રી રહેલા પી ચિંદબરમ બજેટવાળા દિવસે પોતાની વાદળી રંગની સૂટકેસ સાથે હસતા ચહેરા સાથે સંસદમાં પ્રવેશતા હતા.

પરંતુ આ વખતે તે કંઇક વ્યથિત જણાતા હતા. જોકે સંસદમાં તે બજેટનું ભાષણ ધ્યાનથી સાંભળતા હતા. એવું લાગી રહ્યું હતું કે તેઓ બજેટના તમામ પાસાઓ અંગે ધ્યાનથી વિચારી રહ્યા હતા. પરંતું સંસદની બહાર આવતાં તેમણે અસાધારણ ચુપકીદી સાધી લીધી હતી. પત્રકારો દ્વારા પુછવા છતાં તેમણે કોઇ જવાબ આપ્યો ન હતો.

ઉલ્લેખનિય છે કે, પી ચિંદબરમે છેલ્લા બજેટમાં વસ્તુ આપલે ઉપર સીટીટી લગાવ્યો હતો પરંતુ મુખરજીએ આ વખતે તે રદ કર્યો હતો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
વિષમતાવાળુ બજેટ - નિતીશકુમાર
બજેટમાં રહેલી ખાસ બાબતો
નવા રોકાણને પ્રોત્સાહન !
ગ્રામીણ વિકાસ માટે 39000 કરોડ
ડિસઇનવેસ્ટમેન્ટને પ્રોત્સાહન
ડોક્ટર, વકીલો ટેક્સના દાયરામાં !