ઉંચા આર્થિક વિકાસદરને પુનઃ પ્રાપ્ત કરવા માટે વધુ ખાદ્યનો વિકલ્પ અપનાવીને પોતે મોટું જોખમ ખેડ્યું છે તેમ કહીને નાણાંપ્રધાન પ્રણવ મુખર્જીએ આવતા નાણાંકીય વર્ષે નવ ટકાનો વિકાસદર મેળવી શકાશે એવી આશા વ્યકત કરી હતી.
સંસદમાં સામાન્ય અંદાજપત્ર રજૂ કર્યા પછી તેમણે કહ્યું હતું કે ઉંચી ખાદ્યનો આર્થિક અવકાશ સર્જવા માટે મ પુષ્કળ જોખમ ઊઠાવ્યું છે. ખાદ્યને ઘટાડવાના વધારે સંકુચિત માર્ગ હું પણ અપનાવી શકયો હોત અને વિકાસનો દર છ ટકાથી ઓછો થઈ ગયો હોત. પરંતુ, જોખમ ખેડીને દરને પુનઃ મેળવવાનું મને યોગ્ય લાગ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ખાદ્ય હજુય નિયંત્રિત કરી શકાય તેમ છે. પ્રજાની આકાંક્ષાઓ જયારે વધતી હોય ત્યારે તમે ફકત કડક નાણાં નીતિને વળગીને રહી શકતા નથી. અમેરિકા અને બિ્રટનની તુલનાએ ભારતની 6.8 ટકા રાજકોષીય ખાદ્ય ઘણી સારી કહી શકાય. અમેરિકામાં આ વર્ષે તે 11 ટકા અને બ્રિટનમાં લગભગ 16 ટકા છે. |