રેલવે પ્રધાન મમતા બેનરજીએ આજે રાજ્યસભામાં માહિતી આપતાં કહ્યું હતું કે, ભારતીય રેલવે 1.7 લાખથી વધુ જગ્યાઓ ધરાવે છે. જેમાં યુવાનોને રોજગારી આપી શકાય છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, આ જગ્યાઓને વર્તમાન ભરતી પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવ્યા બાદ ભરવામાં આવશે. આ સમીક્ષા બાદ જ નવી રણનીતિ અંગે વિચારણા કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે રેલવેમાં મંજૂર કરવામાં આવેલા 1566964 કર્મચારીઓના સંખ્યાબળની સામે હાલમાં 172444 જગ્યાઓ ખાલી છે. મોટા ભાગની જગ્યાઓ સી ગ્રુપમાં છે.કયા ગ્રુપમાં કેટલી જગ્યાઓ ખાલીગ્રુપ એ,બી - 1549ગ્રુપ સી - 112566ગ્રુપ ડી - 58329 |