જયપુરના સીતાપુરા ઔધોગિક વિસ્તારમાં ભારતીય તેલ નિગમ (આઈઓસી)ડેપોમા લાગેલી આગ પર 13 કલાક પછી પણ કાબૂ નથી મેળવી શકાયો.
આ દરમિયાન કેન્દ્દ્રીય પેટ્રોલિયમ મંત્રી મુરલી દેવડા જયપુર પહોંચી ગયા છે. અધિકારીક સૂત્રો મુજબ આગ ઓલવવામાં જિલ્લા પ્રશાસન મદદ કરી રહ્યુ છે. આગના ભીષણ રૂપને જોતા એક કિલોમીટર ક્ષેત્રને ગઈકાલે રાત્રેથી જ જિલા સરકારે ખાલી કરાવી દીધુ છે. જિલ્લા સરકારે આઈઓસી ડેપો સાથે જોડાયેલી બધી શાળાઓમા રજા જાહેર કરી દીધી છે.