જમ્મૂ-કાશ્મીરમાં શોપિયાના ડાંબલૂઓ નાદ વિસ્તારમાં એક ગુફામાંથી આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના બે કમાંડરોના મૃતદેહો મળી આવ્યાં છે.
સત્તાવાર સુત્રોએ જણાવ્યું કે, એવું લાગી રહ્યું છે કે, તેમનું મૃત્યુ જંગલી જનાવરના હુમલાથી થયું છે. ગુફામાંથી બે એકે રાઈફલ્સ અને અન્ય હથિયાર પણ કબ્જે કરવામાં આવ્યાં છે.
બન્ને આતંકીઓની ઓળખ જિલ્લા કમાંડર સૈફલ્લાહ અને કિસારના રૂપમાં કરવામાં આવી છે. બન્ને જ પીર પંજાલના પહાડો પર સક્રિય હતાં.