મહારાષ્ટ્ર સરકાર મનસે નેતાઓના ભાષણોના વીડિયો ફૂટેજની તપાસ કરશે જેથી એ જોઈ શકાય કે શુ તેમણે પાર્ટી વિધાયકોને ભડકાવ્યા હતા જેના કારણે સપા વિધાયક અબુ આસિમ કાજમી પર આજે વિધાનસભામાં હુમલો કરવામાં આવ્યો.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અશોક ચૌહાણના અહીં સંવાદદાતાઓએ કહ્યુ વીડિયો ફુટેજની તપાસ થશે, જેથી એ જોઈ શકાય કે શુ નેતાઓએ પોતાના પૂર્વના ભાષણો દ્વારા કોઈ રીતે ભડકાવ્યા હતા. સદનમાં મનસે સભ્યોના હંગામાની નિંદા કરતા ચૌહાણે કહ્યુ કે તેમનો વ્યવ્હાર ગેરકાયદેસર હતો અને તેમણે સદનના સભ્યો પર હુમલો કરવાની કોશિશ કરી. તેથી સરકારે પ્રસ્તાવ લાવીને તેમણે ચાર વર્ષને માટે સદનમાંથી બહાર કર્યા. આ દરમિયાન સભ્યોને બહાર કાઢવાના નિર્ણયને એકતરફો બતાવી મનસે વિધાયક બાલા નાંદગાવકરે કહ્યુ કે પીઠાસીન અધિકારીએ પાર્ટીના સભ્યોની વાત સાંભળી નથી.