મુંબઈમાં આતંકી હુમલા વિરુધ્ધ આજે શાંતિ દોડનુ આયોજન કરવામાં આવ્યુ. આ મૈરાથનમાં ઘણી મોટી વ્યક્તિઓએ ભાગ લીધો.
આ દોડમાં ખલી, કાશ્મીરમાં આતંકવાદીઓને મારવાને કારણે જાણીતી બનેલ રૂખસાના અને 26/11 હુમલામાં શહીદ થયેલ તુકારામ ઓબલીની પુત્રી વૈશાલી પણ હાજર રહી. ચાર દિવસ પછી 26 નવેમ્બરના રોજ થયેલ હુમલાની વરસી છે અને આની જ યાદમાં આ ખાસ મૈરાથનનુ આયોજન કરવામાં આવ્યુ.