સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » બાબરી ધ્વંસના આરોપીઓને સજા નહી
Bookmark and Share Feedback Print
 

17 વર્ષની લાંબી તપાસ બાદ પણ બાબરી મસ્જિદનો ધ્વંસ કરનારા આરોપીઓને સજા નહીં મળે. આજે લિબ્રહાન રિપોર્ટ બાદ સંસદમાં રજૂ થયેલી 13 પાનાની એટીઆર મતલબ કે એક્શન ટેકન રિપોર્ટમાં આ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે.

આ રિપોર્ટમાં નોંધવામાં આવ્યુ છે કે, સાંપ્રદાયિક હિંસાને રોકવા માટે કાયદો બનવો જરૂરી છે, પરંતુ જે 68 આરોપીઓના નામ આ લિસ્ટમાં છે એમના વિરૂદ્ધ કોઇ ગંભીર કાર્યવાહીની કોઇ વાત આ એક્શન ટેકન રિપોર્ટમાં કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી લિબ્રહાન રિપોર્ટને લઇને સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. એક અખબારે આ રિપોર્ટ લિક કર્યો હતો એમાં વાજપેયીને પણ દોષી ઠરાવવામાં આવ્યા હતાં. પરંતુ આજે સંસદમાં 17 વર્ષે તૈયાર થયેલા લિબ્રહાન રિપોર્ટ બાદ રજૂ કરાયેલા એટીઆરમાં આરોપીઓને સજાની જોગવાઇ કરાવામાં આવી નથી.
સંબંધિત જાણકારી શોધો