દિલ્લી મેટ્રોના પ્રમુખ ઈ શ્રીધરન અને ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટર્જીને શનિવારે એક કાર્યક્રમમાં 12 માં એસઆઈઈએસ શ્રીચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી રાષ્ટ્રીય સમ્માનથી સન્માનિત કરવામાં આવ્યાં.
સન્માન મેળવનારા ચંદ્રયાનના નિર્દેશક મલયસામી અન્નાદુરઈ અને સંસ્કૃતિ વિદ્વાન અને જ્ઞાનપીઠ પુરસ્કારથી સમ્માનિત સત્યવ્રત શાસ્ત્રી શામેલ છે. પુરસ્કારની સ્થાપના દક્ષિણ ભારત શૈક્ષિણક સોસાયટીએ કરી છે.
ઉલ્લેખનીય છે કે, આ સન્માન પ્રત્યેક વર્ષ સાર્વજનિક નેતૃત્વ, સમાજ સેવા, વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રમાં ઉલ્લેખનીય યોગદાન આપનારા લોકોને આપવામાં આવે છે. આ પુરસ્કાર કાંચી કોમકોટિ પીઠના દિવંગત શંકરાચાર્ય ચંદ્રશેખરેંદ્ર સરસ્વતીની યાદમાં આપવામાં આવે છે.