ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌથી આશરે 80 કિલોમીટર દક્ષિણ પશ્વિમ સ્થિત સીતાપુર શહેરમાં ગઈકાલે મોડી રાત્રે ટ્રેક્ટર ટ્રોલી પલ્ટી ખાઈ જતા ઓછામાં ઓછા 23 લોકોના મૃત્યુ નિપજ્યાં છે અને અન્ય 12 લોકો ઘાયલ થયા છે. જે પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવામાં આવી છે.
વરિષ્ઠ પોલીસ અધિકારી અમિતાભ યશે વિગત આપતા જણાવ્યું છે કે, ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. યશે એમ પણ કહ્યું છે કે, આ વાહનમાં કુલ 70 લોકો મુસાફરી કરી રહ્યાં હતાં.
તમામ લોકોને ટ્રેક્ટરમાંથી બહાર કાઢવામાં આવી ચૂક્યાં છે અન્ય વાહનને ઓવરટેક કરવા જતા ડ્રાઈવરે કાબૂ ગુમાવી દીધો હતો.