કેરળના તિરુવનંતપુરમ હવાઈ મથક પર કિંગફિશર એરલાઈનના વિમાન કાર્ગો કંપાર્ટમેન્ટમાં વિસ્ફોટક મળ્યાં બાદ હવાઈ મથક પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, બેંગલોરથી તિરુવનંતપુરમ પહોંચેલી ઉડાણ સંખ્યા આઈટી 4731 ના કાર્ગો કંપાર્ટમેન્ટમાં આઈસક્રીમ બાઉલની બરાબર વિસ્ફોટક સામગ્રી કબ્જે કરવામાં આવી. કહેવામાં આવી રહ્યું છે કે, આ દેશી બોમ્બ છે.
સુત્રોએ જણાવ્યું કે, કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા ટુકડીના જવાનોએ એક વર્તમાનપત્રમાં લપેટેલી આશરે 20 ગ્રામ વજન વાળી સંદિગ્ધ વિસ્ફોટક સામગ્રી કબ્જે કરી. સુત્રોએ કહ્યું કે, વિસ્ફોટક સામગ્રી પ્રાપ્ત થવાના તુરત જ બાદ બોમ્બ સ્કોર્ડને ઘટનાસ્થળ પર બોલાવીને તેને નિષ્ક્રિય કરી દેવામાં આવી. પૂરા ક્ષેત્રની ઘેરાબંધી કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.