બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા જ લાલૂ અને પાસવાન અલગ થઈ ગયા છે.
રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ અને લોક જનશક્તિ પાર્ટી(એલજેપી)ના નેતા રામવિલાસ પાસવાનના રસ્તા જુદા જુદા થઈ ગયા છે.
વિઘાનસભા ચૂંટણીમાં આરજેડી અને એલજેપી જુદી જુદી ચૂંટણી લડી શકે છે. હાલ દિલ્લીમાં લાલૂ પ્રસાદે પાર્ટીના બધા જિલ્લાધ્યક્ષ અને પાર્ટી અધિકરીઓને દિલ્લી બોલાવ્યા છે અને તેઓ તત્કાલિન બેઠક યોજવા જઈ રહ્યા છે.
સીટોની ફાળવણીને લઈને બંને દળો વચ્ચે એકમત નથી બની રહ્યો. એવુ બતાવાય રહ્યુ છે એક એલપીજી લગભગ 100 સીટ પર ચૂંટણી લડવા માંગે છે, જ્યારે કે આરજેડી 30 સીટ એલજીપીને આપવા માંગે છે. આ પ્રક્રિયામાં દિલ્લીમાં લાલૂ અને પાસવાન મળી ચૂક્યા છે, અનુમાન છે કે સીટોની ફાળવણીને લઈને હાલ વાત બની રહી નથી.