મુંબઈથી ચેન્નઈ જનારી જેટ એયરવેઝના એક વિમાનમાં ફાયર એલાર્મ વાગવાથે ગભરાયેલા ઘણા મુસાફરો ઈમરજેંસી ગેટ ખોલીને બહાર કૂદી પડ્યા.
શુક્રવારે સાંજે જ્યારે આ ઘટના બની વિમાન ઉડાન ભરવા માટે ટૈક્સી વે પર જઈ રહ્યુ હતુ. ઘાયલોને નાનાવટી અને સુજાવ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
મુંબઈ ઈંટરનેશનલ એયરપોર્ટના પ્રવક્તાના મુજબ ઉડાન સંખ્યા 9 ડબલ્યૂ 2302ના પાયલોટે વિમાનના એક એંજિનમાં આગ લાગવાની રિપોર્ટ આપી. જેનાથી ગભરાયેલા લગભગ 15 મુસાફરો ઈમજેંસી દરવાજામાંથી નીચે કૂદી ગયા. તેમાંથી બે ની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. વિમાનમાં લગભગ 150 મુસાફરો સવાર હતા. અન્ય બધા મુસાફરોને સુરક્ષાપૂર્વક ઉતારી લેવામાં આવ્યા છે.
બતાવવામાં આવી રહ્યુ છે કે વિમાનના એંજિનમાં આગ લાગ્યા પછી પાયલોટે એલાર્મ વગાડ્યો હતો. 15 યાત્રાળુઓને એમ્બુલેંસમાં નાનવટી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.
પેરાશૂટનો ઉપયોગ કરી નીકળતી વખતે ઉતાવળ કરવાને કારણે 13 યાત્રા ઘાયલ થઈ ગયા, જ્યારે કે બે યાત્રાળુઓના હાંડકાં ભાંગી ગયા.
તાત્કાલિક નિકાસને માટે કેપ્ટને પેરાશૂટનો ઉપયોગ કર્યો અને બધા યાત્રાળુઓને બહાર કાઢી લેવામાં આવ્યા.