ચીન સાથેના સંબંધોને લઈને વિપક્ષના દબાણનો સામનો કરી રેહલ કેન્દ્ર સરકાર ખૂબ જ સંવેદનશીલ થઈ ગઈ. છે. જમ્મુ-કાશ્મીરમાં ગોઠવાયેલ ભારતીય સેનાના એક ટોચના અધિકારીને પોતાના દેશમાં આવવાની પરમિશન ન આપવા અને પાક અધિકૃત કાશ્મીરના ગિલગિટ અને બાલ્ટિસ્તાનમાં નિયંત્રણ મજબોત કરવાના સમાચારો વચ્ચે ચીન સાથે ભારતના સંબંધોમાં કડવાશ આવી ગઈ છે.
પ્રધાનમંત્રી મનમોહન સિંહે ચીન સાથેના સંબંધોમાં કડવાશ પર મંગળવારે સુરક્ષા બાબતોની કેબિનેટ કમિટીમાં ચર્ચા કરી. કેબિનેટ કમિટીની બેઠક 90 મિનિટ સુધી ચાલી, જેમા ચીન માટે નિયુક્ત ભારતના રાજદૂત એસ. જયશંકર પણ જોદાયા હતા.
તેઓ સમજાવી રહ્યા હતા કે તેમણે છેલ્લા કેટલાક અઠવાડિયાઓના ઘટનાક્રમ વિશે કમિટીને બતાવ્યુ. રાષ્ટ્રાય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનન પણ આ બેઠકમાં જોડાયા હતા.