મોટાભાગે ચર્ચામાં રહેનારા બોલીવુડ સ્ટાર અમિતાભ બચ્ચને મેટ્રો વિવાદનો દોષ મીડિયાના એક વર્ગને આપતા કહ્યુ કે તેના બ્લોગને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યુ છે.
બિગ બી એ માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટ્વિટર પર આપેલ સ્પષ્ટીકરણમાં કહ્યુ કે પ્રિંટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના એક વર્ગને બ્લોગ પર લખેલ મારા વિચારોને તોડી મરોડીને રજૂ કર્યા. હુ આના પર સ્પષ્ટીકરણ આપવા માંગુ છુ.
અમિતાભે કહ્યુ કે મુંબઈએ મને અને મારા પરિવારને પોતાના દિલમાં જગ્યા આપી, અમને ઓળખ આપી અને સન્માન આપ્યુ. તેમણે કહ્યુ કે મારા પરિવાર અને મેં ક્યારેય પણ આવુ નથી ઈચ્છ્યુ કે અમારા સાથી મુંબઈવાસીઓની સુવિદ્યામાં કમી આવે. અમે આ પણ ક્યારેય નથી ઈચ્છ્યુ કે મુંબઈકર અને શહેરના સારા ભવિષ્ય માટે થનારા વિકાસ કાર્યોમાં કોઈ મુશ્કેલી આવે.
તેમણે કહ્યુ કે મારો બ્લોગ મારા દિલની વાતો બતાવે છે. મેટ્રોના બાબતે આમા સ્પષ્ટ રૂપે લખ્યુ છે કે આ સામાન્ય લોકોને માટે ખુશી લઈને આવશે, જેને ભીડ ભરેલ લોકલ ટ્રેનો અને અનિશ્ચિત ઓટો કે પીળી કાળી કૈબોથી મુક્તિ મળશે.
બિગ બી એ કહ્યુ કે વસ્તુત મને મારા બ્લોગને 'ફેલો પૈસેંજર' કહીને પુરો કર્યો છે. ફેલો પેસેંજર્માં હુ પોતે પણ આવી જઉ છુ. મારી બધાને વિનંતી છે કે મારા બ્લોગને પૂરો વાંચો. મુંબઈકર હોવાનુ મને ગર્વ છે અને આ શહેરમાં થનારા પરિવર્તનોનુ હું સ્વાગત કરુ છુ.
આ પહેલા અમિતાભે ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા બતાવવામાં આવી રહેલ આ સંપૂર્ણ બાબતને 'ટોટલ ફ્લોપ' કરાર આપ્યો છે.
બિગ બીએ ટ્વિટર પર લખ્યુ કે નિર્ણય આવી ગયો છે. મારા અને મેટ્રો વિશે મીડિયા દ્વારા ચલાવવામાં આવી રહેલ શો 'ટોટલ ફ્લોપ' રહ્યો. ઓપનિંગ શો પણ ન ચાલી શક્યો બોસ.
અમિતાભે કહ્યુ એક પરંતુ મએન ઈલેક્ટ્રોનિક મીડિયાને આજે ધન્યવાદ કહેવુ પડશે. તેને કારણે મારા ટિવટર એકાઉંટ પર ફોલોવરોના 10 મિનિટની અંદર 1000 ટ્વિટ આવ્યા. ધન્યવાદ બોસ.