અમદાવાદ (એજંસી) ગુજરાતના માજી મુખ્યમંત્રી અને નારાજ જુથના વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલે આજે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કરીને ભાજપ પક્ષને જોરદારનો ઝટકો આપ્યો હતો.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરમાં જ ભરત પટેલે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી, પરંતુ બાદમાં ભાજપ નેતાઓએ તેમને પક્ષની ટીકિટ પરથી ચૂંટણી લડવા માટે સમજાવ્યાં હતાં. નરેન્દ્ર મોદી જૂથને એમ લાગતું હતું કે ભરત પટેલને ભાજપની ટીકિટ પરથી ચૂંટણી લડવા સમજાવીને તેઓ અસંતુષ્ટોનું જોર ઘટાડશે, પરંતુ તેમ બન્યું નહીં.
અંત્રે ઉલ્લેખનિય છે કે, હાલમાં જ ભરત પટેલે કહ્યું હતું કે જો તે ચૂંટણી લડશો તો તે ભાજપની ટીકિટ પરથી જ ચૂંટણી લડશે તેમાં કોઈ પણ શંકા નથી.
|