અમિતાભની સાથે પોતાની આગામી ફિલ્મ ભૂતનાથ અને તેમના ઠંડાયુધ્ધથી ફિલ્મના પ્રદર્શનમાં વિલંબના સમાચાર વિશે તેમણે કહ્યું કે હું એવું નહી કહું કે પત્રકારિતા અપરિપક્વ થઈ ગઈ છે પરંતુ એવું કહીશ કે પત્રકારિતા યુવા થઈ રહી છે.
તેમણે કહ્યું કે પહેલા બીગ બીની સાથે તેમના ઠંડાયુધ્ધના સમાચાર તેમને હેરાન કરતાં હતાં. તેમણે જણાવ્યું કે અમે બંને પરિપક્વ છીએ અને ભણેલા છીએ તેથી આ સમાચારોની અમારી પર કોઈ જ અસર નથી થતી.
શાહરૂખે જણાવ્યું કે અમિતાભની ખુબ જ ઈજ્જત કરૂ છું અને તેઓ પણ મારી ઈજ્જત કરે છે. અમને ભૂતનાથના શુંટીંગ વખતે ખુબ જ મજા આવી હતી.
|