ભોપાલ. કાલ સુધી દાણા દાણા માટે તરસતાં મધ્યપ્રદેશનું એક આદિવાસી ગામ હવે ઝડપથી લખપતિ બનવાનું છે. ગાઢા જંગલની વચ્ચે વસવાટ કરી રહેલ બાલાઘાટ જીલ્લાના લગભગ પહોચી પણ ન શકાય તેવું નાનકડું ગામ કટ્ટીપાર જેની માંડ 25 ઘરોની જ વસ્તી છે અને તે પણ બધા જ આદિવાસી ઘરો તે હવે લખપતિનું ગામ બનવાની રાહ પર છે. આ ગામની અંદર લગભગ 9 ખેડુતો તો અડધા કરોડના માલિક બનવા જઈ રહ્યાં છે. આબાદીના છ દશક પછી પણ વિકાસનાં અજવાળાથી લગભગ હજારો મીટર દૂર આ ગામ પોતાની નવી ઓળખાણ બનાવવા જઈ રહ્યું છે. અહીયાંનાં ગરીબ આદિવાસી ખેડુતોને લખપતિ બનાવવાનો શ્રેય વન વિભાગની લોક વાણીકી યોજનાને જાય છે.
|