રાજકોટ. ગુજરાતના સ્વાસ્થય મંત્રી જય નારાયણ વ્યાસે માહિતી આપી હતી કે, અમેરેલી શહેરમાં નર્મદાના નીરની નિયમીત આપૂર્તિ આગામી 1 મેથી શરૂ કરી દેવામાં આવશે.
1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસ પર અમરેલીમાં એક સમારોહનુ આયોજન કરવામાં આવશે. આ દિવસે જિલ્લાની 590 ગ્રામ પંચાયતોને ઓનલાઈન જોડવામાં આવશે. આ સમારોહમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ નવલકિશોર શર્મા પણ ભાગ લેશે.
|