મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મોદીનું નવું પુસ્તક 'જ્યોતિપુંજ'

ભારતીય જનતા પક્ષનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી બાદ હવે ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સંઘમાં વિતાવેલા પોતાનાં જીવનનાં સંબંધમાં એક પુસ્તક લખ્યું છે.

આ પુસ્તકનું નામ જ્યોતિપુંજ છે. પુસ્તકમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં 16 નેતાઓનાં જીવન વિશે લખવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીએ તે નેતાઓનાં જીવન વિશે લખ્યું છે. નરેન્દ્ર મોદી આ નેતાઓ પાસેથી શું શિખ્યા તેનાં વિશે આ પુસ્તકનાં માધ્યમથી તેમણે લોકોને જણાવ્યું છે.

પુસ્તકનું પ્રકાશન રાજકોટનાં એક પ્રકાશકે કર્યું છે. આ પુસ્તકનું વિમોચન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં એક વરિષ્ઠ નેતા મોહન ભાગવતે અમદાવાદમાં એક સમારંભમાં કર્યું હતું.

આ પ્રસંગે મોદીએ કહ્યું હતું કે, 'હું એક લેખક નથી પરંતુ આ મારા અનુભવ છે. મેં તે લોકો પાસેથી ઘણું શિખ્યું છે. તેમણે મારા જીવનને સ્પર્શ કર્યો અને હું તેમની પરંપરાઓનો ભાગ બનવા માટે તેમનો આભારી છું.'
ઘણું બધુ
વિસનગરમાં કોમી ભડકો, 10 રાઉન્ડ ગોળીબાર
અમદાવાદમાં માતા સાથે 3 પૂત્રોનો આપઘાત
અમરેલીમાં 1 મેથી નર્મદાનુ પાણી
1લી મેંએ અમરેલીમાં ભવ્ય સમારોહ-સરકાર
આજે મોદીના પુસ્તક જ્યોતિપૂંજનું વિમોચન
ગુજરાતભરમાં ઊનાળાની કાળઝાળ ગરમી