મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
દાહોદ : દુર્ઘટનામાં સાતનાં મૃત્યુ

દાહોદ જીલ્લાનાં ઝાલોદ કસબા પાસે એક ટ્રક અને ઓટો રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં સાત વ્યક્તિઓનાં કમકમાટી ભર્યાં મૃત્યુ નિપજ્યાં હતાં તથા અન્ય એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, ઘાયલ વ્યક્તિને દાહોદની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. આ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓનાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. અકસ્માતનું કારણ હજું સુધી જાણવા મળ્યું નથી. પોલીસે આ અકસ્માત વિશે કેસ દાખલ કરી આગાળની કાર્યવાહી શરૂ કરી છે.
ઘણું બધુ
ગિર અભ્યારણ પાસેનાં જંગલમાં આગ
પાકે 18 ભારતીય માછીમારો પકડ્યા
માઓવાદીઓએ સ્કૂલને ઉડાવી દિધી
ગુજરાતમાં રોડ અકસ્માતમાં 10નાં મોત 24 ઘાયલ
અંગ્રેજી વિના પણ પાસ થવાની અનુમતિ આપો
પૂર્વ મંત્રીના પુત્રની આત્મહત્યા