ગાંધીનગર. રાજય સરકારે મહેસુલ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી વિલાસીની રામચંદ્રન(આઇએએસ)ની બદલી કરીને તેઓની સેવાઓ ભારત સરકારને હવાલે મુકવામાં આવતા તેમની નાગરિક ઉડ્ડયન મંત્રાલય નવી દિલ્હી ખાતે અધિક સચિવ અને નાણાંકીય સલાહાકાર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
શ્રીમતી વિલાસીનીની ખાલી જગ્યાનો હવાલો ગુજરાત હાઉસીંગ બોર્ડ, અમદાવાદ ખાતે હાઉસીંગ કમિશનર તરીકે ફરજ બજાવતા શ્રી ટી.એસ.રંધાવા(આઇએએસ)ને સોંપવામાં આવ્યો છે.
|