ભાવનગર. ભાવનગરમાં વેતન વધારાના મુદ્દે થયેલી હિંસા બાદ રત્નકલાકારો અને માલિકો વચ્ચે આજે સમાધાન થઈ જતાં હિરાના કારખાનાં ફરીથી ધમધમી ઉઠ્યા હતાં.
ભાવનગરમાં થોડા દિવસ પહેલાં રત્નકલાકારોના વેતનદરના વધારાની માંગણીને માલિકોએ ફગાવી દીધી હતી, જેનાથી ઉગ્ર બનેલાં રત્નકલાકારોએ મકાનો અને ગાડીઓને આગ ચાપી ભારે હિંસા કરી હતી. શનિવારે હિરામાલિકો તથા રત્નકલાકારોની વચ્ચે સમજુતિ થઈ જતાં મોટા ભાગના હિરાના કારખાનાઓ ઝગમગી ઉઠ્યા હતાં.
|