ગોધરા. અમદાવાદ સ્થિત ગુરૂકુળના બે માસુમોના ચકચારી મોત મામલે અહેવાલ પ્રકાશિત કરવાના મામલે ગોધરા સ્થિત સંદેશ ઓફિસ પર ઉશ્કેરાયેલા ટોળાએ ગઇકાલે હુમલો કરતાં ફરિયાદ નોંધાઇ છે.
અમદાવાદ સ્થિત આસારામ ગુરૂકુળના બે માસુમોની ગત અમાસની રાત બાદ વિકૃત હાલતમાં લાશ મળી આવવાના મામલે ભારે વિવાદ ઉઠ્યો છે. અખબારોનાં પ્રગટ થતા અહેવાલોને પગલે બાપુના ટેકેદારોમાં કચવાટ પ્રસરી રહ્યો છે. આ દરિમયાન ગઇ કાલે ગોધરા સ્થિત ગુજરાતી અખબાર સંદેશના કાર્યાલય ઉપર એક ટોળાએ હુમલો કરી ધમકી આપતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ હત્યામાં જો સંડોવણી નીકળશે તો હુ ફાંસીએ ચડવા તૈયાર છુ એવો હુંકાર આસારામ બાપુએ તાજેતરમાં નવી દિલ્હી ખાતે જાહેરમાં વ્યક્ત કર્યો હતો.
|