અમદાવાદ. આસારામના ગુરૂકુળમાં અભ્યાસ કરતા બે બોળકોની હત્યા મામલે સી.બી.આઇ તપાસની માંગ સાથે ગઇકાલે લોકો રસ્તા ઉપર આવી ગયા હતા અને વિરોધ રેલી કાઢી આવતી કાલે અમદાવાદ બંધનુ એલાન આપ્યું છે.
આશ્રમના ગુરૂકુળમાં અભ્યાસ કરતા બે માસુસ અભિષેક અને દિપેશની હત્યાના મામલે પોલીસ પણ ઢીલી તપાસ કરતી હોવાનો લોકોએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો.
હાય રે આસારામ...હાય....હાય સહિતના નારા સોથે લોકોએ આ મામલે સી.બી.આઇ તપાસની માંગ કરી હતી અને આ મામલે સરકારની આંખો ખોલવા માટે આવતી કાલે અમદાવાદ બંધનું એલાન આપ્યું હતું.
ગુજરાત સંર્ઘષ સમિતિ દ્વારા અપાયેલા આ બંધમાં સ્વયંભૂ જોડાવા માટે લોકોને અપીલ કરી હતી.
|