મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આસારામનાં સમર્થકોને રીક્ષામાં નો એન્ટ્રી!  Search similar articles
વેબ દુનિયા

અમદાવાદ. અમદાવાદનાં આજના સ્વયંભૂ બંધને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ઠેર ઠેર લોકો સામે ચાલીને બંધ કરી રહ્યા છે ત્યારે રીક્ષા ચાલકો પણ જુદી રીતે બંધમાં જોડાયા છે. આજની ગુરૂ પૂર્ણિમાને લઇને જતા આસારામના ભક્તોને તેમણે રીક્ષામાં એન્ટ્રી આપી ન હતી.

અમદાવાદે આજે વર્ષો પછી સ્વંયભૂ બંધ જોયો. રાજકીય પાર્ટી દ્વારા અત્યાર સુધી બંધ આપવામાં આવતાં હતાં. તેમ છતાં તે બંધને જોઈએ તેટલો પ્રતિભાવ મળતો નહતો. તે સમયે કાર્યકર્તાઓએ દુકાનો બંધ કરાવવા નીકળવું પડતું હતું. પરંતુ આજનો બંધ જનતા કરફ્યું જેવો જણાઇ રહ્યો છે.

જડબેસલાક બંધમાં દુકાનો, શાળા-કોલેજો તથા બીજા ખાનગી ઓફિસો બંધની અસર નીચે આવી ગયા છે. આ સાથે રીક્ષાચાલકો પણ બંધમાં જોડાયા છે.

રીક્ષા ચાલકોએ સ્કુલ વર્ધીની રીક્ષા બંધ રાખી હતી. તેમજ આજના ગુરૂપૂર્ણિમા પર્વ નિમિત્તે આસારામનાં આશ્રમમાં દર્શને જવા નીકળેલા ભક્તોને રીક્ષાચાલકોએ રીક્ષામાં સવારી આપી ન હતી.
ઘણું બધુ
આસારામે મૃતકનાં વાલીની મુલાકાત લીધી
ટીવી ચેનલના પ્રત્રકાર પર હુમલો
અમદાવાદ બંધ, લોકોનો આશ્રમને ધેરો
આસારામ સામે જનાક્રોશ, કાલે અમદાવાદ બંધ
પી.જી.મેડિકલમાં પણ લેવાશે એન્ટ્રેન્સ ટેસ્ટ
ગોધરામાં છાપાની ઓફિસ પર હુમલો