મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > સરદાર સરોવર આંતકીઓના નિશાના પર!
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સરદાર સરોવર આંતકીઓના નિશાના પર! Search similar articles
વેબ દુનિયા

ગુજરાત સરકારે અમદાવાદ સીરીયલ બ્લાસ્ટ બાદ રાજ્યનાં દરેક મહત્ત્વપૂર્ણ સ્થાળોની સુરક્ષા વધારી છે. રાજ્યને પાણી અને વીજળી પુરી પાડતું સરદાર સરોવર આંતકીઓના નિશાના પર હોવાના સંકેત મળતાં ત્યાં સુરક્ષા વધારાઇ દેવાઇ છે.

અમદાવાદમાં એક જ દિવસમાં 20 બ્લાસ્ટ કરીને તેમજ સુરતમાં બોમ્બ ગોઠવી આતંકવાદીઓએ ગુજરાતમાં આંતકવાદના ટકોરા માર્યા છે. ઈન્ટેલિજન્સ સુત્રોનાં જણાવ્યાનુસાર રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદી પર આવેલા સરદાર સરોવર ડેમ હવે આતંકીઓનાં નિશાના પર છે. રાજ્યની મહત્ત્વકાંક્ષી યોજનાથી રાજ્યને પાણી અને વિજળી બન્ને મળે છે. વળી, દરરોજ હજારો પ્રવાસીઓ પણ ડેમ જોવા આવે છે. તેથી ડેમ વિસ્તારમાં કોઈ આતંકવાદી પ્રવૃત્તિ કરીને આતંકીઓ રાજ્ય સરકારની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.

આથી રાજ્ય સરકારે ડેમનાં સુરક્ષા અધિકારીઓની બેઠક બોલાવી હતી. અને, તેમને વધારે ફોર્સ આપવામાં આવી હતી. તેમજ જરૂરી સુરક્ષાનાં સાધનો પણ આપવામાં આવ્યાં હતાં. આવતાં-જતાં પ્રવાસીઓ પર કડક નજર રાખવાની સુચના આપવામાં આવી છે. તો નર્મદા જિલ્લા પોલીસને પણ ડેમની આસપાસનાં વિસ્તારનું પેટ્રોલીગ વધારવા જણાવાયું છે.
ઘણું બધુ
સુરતમાંથી વધુ એક બોમ્બ મળ્યો
ઘાયલો થકી આંતકીઓ સુધી પહોંચવા પ્રયાસ
પોલીસે શકમંદોનાં સ્કેચ તૈયાર કર્યા
વડોદરા સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી
હલીમની પત્નીની હાઇક્રોર્ટમાં અરજી
વડોદરા સ્ટોક એક્સચેન્જને ઉડાવવાની ધમકી