અંગ્રેજોની ગુલામીમાંથી સમગ્ર દેશને આઝાદી અપાવનાર બાપુના જન્મદિવસ પૂર્વે મહેસાણા શહેરની એક શાળાની બાળકીઓ દ્વારા તેમની સફાઇ કરવામાં આવી રહી છે
દેશને ભાઇચારો, અહિંસા અને સત્યના પાઠ શીખવાડનારા બાપુના કાર્યોને આજે જ્યારે મોટાઓ વિસરી રહ્યા છે ત્યારે બાળકો તેને જાળવવા પ્રયાસ કરી રહ્યા છે. બાપુએ આપેલા જીવનપાઠ, તેમની શીખ દેશનો દરેક નાગરિક સમજે તો દેશની રોનક બદલાઇ જાય...એમાંય ખાસ કરીને દેશના રાજકારણીઓ, મોટા અફસરો સાચી ગાંધીગીરી અપનાવે તો આખે આખું ચિત્ર પલટાઇ જાય તેમ છે...
નહીંતર દર વર્ષે આ રીતે જ બાળકો બાપુની પ્રતિમાને જન્મદિવસ પૂર્વે માત્ર સાફ કરતા રહેશે... |
|