વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)નાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અશોક સિંઘલે મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાને હિન્દુ સંસ્કૃતિની વિરૂધ્ધનો ગણાવ્યો હતો.
સિંઘલે વિહિપનાં ત્રણ દિવસીય સંમેલનનાં ઉદ્ઘાટન સમારોહમાં જણાવ્યું હતું કે આ હુમલાને ગંભીરતાથી લેવો જોઈએ. તેમણે દેશવાસીઓને આહ્વાન કર્યુ હતુ કે આ હુમલાને લઈને શાંત બેસી ન રહીને તેનો ઉગ્ર વિરોધ નોંધાવવો જોઈએ. સિંઘલે જણાવ્યું હતું કે હિન્દુ સમાજ આતંકવાદ પ્રતિ ખૂબ ગંભીર છે. આપણે સૌએ ભેગા થઈને આ ગંભીર સમસ્યાનો મુકાબલો કરવો જોઈએ. આ સાથે આતંકવાદ અને ધર્માતરણ જેવા મુદ્દાઓ પર વિચાર કરવો જોઈએ. આ સંમેલનમાં પ્રવિણ તોગડીયા, સુદર્શન અને વેદાન્તમ પણ સામેલ છે. તેમજ દેશ વિદેશનાં 600 પ્રતિનિધિઓએ ભાગ લીધો છે.
|