ગુજરાત સરકારે વર્ષ 2009 માટે નવી સૌર ઉર્જા નીતિની જાહેરાત કરી છે.
ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં વર્ષનાં 300 દિવસ આકાશ એકદમ સાફ રહે છે.અને, સૂર્યનાં કિરણો એકદમ સાફ મળે છે.
તેમણે ઉમેર્યુ હતું કે વૈશ્વિક ઉર્જાની વધતી સમસ્યાને જોતા સૌર ઉર્જાનો વિકલ્પ સૌથી શ્રેષ્ઠ છે. તેના દ્વારા એકદમ ચોખ્ખી પ્રદુષણ રહિત ઉર્જા મળશે.
તેમણે જણાવ્યું હતું કે શરૂઆતમાં 500 મેગાવોટની સૌરઉર્જા જનરેટર લગાવવાની મંજૂરી આપવામાં આવશે.પણ સૌર થર્મલ અને ઉર્જા માટે પાંચ મેગાવોટની મંજૂરી આપવામાં આવશે.
નવી ઉર્જા નીતિ હેઠળ સૌર ઉર્જા યોજનાનું વિતરણનું લાયસન્સ રાખનારા આગામી 25 વર્ષ સુધી તે વેચી શકશે.
|