પાલનપુર બનાસકાંઠાનાં પોલીસ અધિક્ષક એસ કે મકવાણાને દલિત મહિલાને ફસાવવા અને પુરાવાનો નષ્ટ કરવાનાં કેસમાં સસ્પેન્ડ કરી દેવાયા છે.
દલિત મહિલા દાંતા તાલુકાના એક ગામની છે. તેની સાથે માર્ચ 2006નાં પાથીજી પાલાએ બળાત્કાર કર્યો હતો. તેથી મહિલાએ પાલા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પણ પોલીસે પાલાને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો.
પીડિત મહિલાનાં જણાવ્યા મુજબ મકવાણાએ ફરિયાદમાં લખ્યુ હતું કે પીડિત મહિલા અનૈતિક કાર્યો અને દેહ વ્યાપારમાં લિપ્ત હતી. જો કે પાથીજીને 14 ફેબ્રુઆરી 2007નાં રોજ ગુજરાત હાઈકોર્ટનાં આદેશ બાદ ધરપકડ કરી હતી. પાથીજીએ પાલનપુર કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યુ હતું. જ્યાં તેની ધરપકડ કરીને તેને જમાનત પર છોડી દેવાયા હતા.
તેથી મકવાણાને પોતાની ફરજમાં બેદરકારી દાખવવા માટે ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
|