અમદાવાદમાં ચક્ચાર જગાવનાર આસારામ આશ્રમમાં બે બાળકો દિપેશ અને અભિષેકનાં મોત પર હજી સસ્પેન્સ છે. ત્યારે બંને પર કોઈ તાંત્રિક વિધિ કરવામાં આવી હોવાના નક્કર પુરાવા મળ્યા નથી. તેમ સીઆઈજીનાં ડીઆઈજી જી.એસ.મલિકે જણાવ્યું હતું.
મલિકે જણાવ્યું હતું કે સાબરમતિ નદીનાં પટમાંથી ભૂતકાળમાં પણ અજાણ્યા વ્યક્તિઓની કુતરાઓએ ફાડી ખાધેલ મૃતદેહો મળી આવ્યા હતા.
આસારામ આશ્રમમાં ભણતાં દિપેશ-અભિષેકનાં શંકાસ્પદ હાલતમાં મોત થયા હતા. જેની ક્રાઈમ બ્રાંચ તપાસ ચલાવી રહી છે. આ અંગે સાધકોનાં નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. પણ તાંત્રિક વિદ્યા અંગે કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. એફએસએલ રીપોર્ટ પણ એમ દર્શાવે છે કે મોત પાણીમાં ડુબવાથી થયુ છે.
મલિકે જણાવ્યું હતુ કે સાબરમતી પટમાંથી મળેલા મૃતદેહો મોટાભાગે કુતરાઓએ ફાડી ખાધેલ હાલતમાં જ મળી આવ્યા હતા. તેથી આ ઘટનામાં આવું જ કાઈ બન્યુ હોવાનું અનુમાન છે.
|