સાયન્સ સીટી ખાતે ચોથી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-2009નું મોદીનાં હસ્તે ઉદ્ઘાટન થતાંની સાથે રાજયમાં રોકાણનો ધોધ વરસવા લાગ્યો હતો. જાણે કે સમગ્ર વિશ્વમાંથી ઉદ્યોગપતિઓ બ્રાન્ડ ગુજરાતમાં રોકાણ કરવા આતુર રાહ જોઈને બેઠા હોય તેમ લાગી રહ્યું હતું. આજે કુલ રૂ. 7.48 લાખ કરોડ રૂપિયાનાં રોકાણ માટે 444 એમઓયુ થયા છે. જેનાથી 8 લાખ લોકોને રોજગારી મળશે. આ બે દિવસનાં સમારોહનાં પ્રથમ દિવસે જ રીલાયન્સ, તાતા, અદાણી, ઓએનજીસી વગેરે જેવી મોટી કંપનીઓએ રોકાણ માટે પોતાની તિજોરી ખુલ્લી મુકી દીધી હતી. મોદીએ ઉદઘાટન સમારોહમાં જણાવ્યું હતું કે ગુજરાતની સ્પર્ધા ચીન સાથે છે. તે દેશ માટે પાવરહાઉસ બની જશે. તેમણે સ્પેશ્યિલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયન(SIR)ને વિકાસનું એન્જિન ગણાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ઉદ્યોગપતિઓએ મોદીનાં વખાણ કર્યા હતાં. તેમજ ગુજરાત સાથે વિકાસમાં ભાગીદાર બનવા બદલ ખુશી જાહેર કરી હતી. તો રીલાયન્સનાં મુકેશ અંબાણીએ મોદીનાં વખાણ કરતાં જણાવ્યું હતું કે મોદી પત્થરમાંથી પાણી પેદા કરવાની શક્તિ ધરાવે છે.આ સંમેલનમાં દેશ વિદેશનાં 6000થી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં. તેમજ આ સંમેલનમાં 8 લાખ કરોડથી વધુનું રોકાણ થાય તેવી શક્યતા છે. જેનાં દ્વારા 14 લાખ લોકોને રોજગારી મળશે. આ સમારોહમાં જાપાન ભાગીદાર બન્યું છે. આ પ્રસંગે જાપાનનાં અગ્રણી રાજદ્વારી હિદેકી દોમીચી, ઉદ્યોગપતિઓ, ઈટાલીનાં ડેપ્યુટી ચીફ મિનીસ્ટર પાઉલો પેર્ટીની, સિંગાપુરનાં મંત્રી, કેન્યાનાં વડાપ્રધાન રાઈલા ઓડીંગા, યુગાન્ડાનાં પ્રતિનિધિઓ સહિત બીજા ઘણાં દેશનાં પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં. તો ભારતનાં ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, સુનિલ મિત્તલ, કે.વી.કામથ, શશી રૂઈયા, કુમારમંગલમ બિરલા, ઓ.પી.ભટ્ટ અને અનિલ અંબાણી હાજર રહ્યાં હતાં. ગુજરાતમાં રોકાણ માટે થયેલા કરારોરીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ. 50,000 કરોડએસ.બી.આઈ રૂ.30,000 કરોડએસ્સાર રૂ.24,000 કરોડઅદાણી રૂ. 27,000 કરોડસુઝલોન રૂ.9000 કરોડએલએન્ડટી રૂ. 25,000 કરોડતાતા રૂ.21,000 કરોડવિડીયોકોન રૂ. 12,000 કરોડસ્ટર્લિંગ રૂ.21,000 કરોડબિરલા રૂ.30,000 કરોડવેલસ્પન રૂ.45,000 કરોડસીએનબીસી રૂ. 7,000 કરોડએર ડેક્કેન રૂ. 3,000 કરોડયુનિવર્સલ સક્સેસ રૂ. 87,000 કરોડસેલ્યુલર ઓપરેટર્સ રૂ. 20,000 કરોડભારત ફોજ રૂ. 7,000 કરોડ |