ગુજરાતના રત્ન કલાકારોની બેરોજગારીની ગંભીર સમસ્યામાં મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર દ્વારા માટે રત્નદીપ કૌશલ્યવર્ધક તાલીમ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે અંતગર્ત કારીગરોને સ્ટાઇપેન્ડ સાથે તાલીમ આપવામાં આવશે. જેમાં માસિક રૂ. 2500 સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.
રત્નદીપ કૌશલ્યવર્ધક તાલીમ સહાય પેકેજ અન્વયે પ્રારંભમાં સુરત, અમદાવાદ અને ભાવનગરમાં મંદીથી અસર પામેલા બેરોજગાર રત્ન કલાકારોને કૌશલ્યવર્ધક રોજગારલક્ષી તાલીમ આપવામાં આવશે. બેરોજગાર રત્ન કલાકારોને આ તાલીમ લેવા માટે પ્રતિમાસ તાલીમાર્થી વેજ લોસ પેટે દરરોજના રૂ. 100 લેખે સ્ટાઈપેન્ડ, માસિક રૂપિયા 2500ની મર્યાદામાં આપવામાં આવશે. તાલીમનો સમયગાળો મહત્તમ ચારક મહિનાનો રહેશે.
તાલીમમાં શું શીખવાડાશે પોલીસીંગ, ડાયમંડ એસોર્ટમેન્ટ, બ્રુટીંગ, ડાયમંડ ગ્રેડીંગ, પ્લાનિંગ એન્ડ માર્કીંગ, જવેલરી મેકીંગ તથા હીરા ઊદ્યોગ અને તેના આનુસંગિક ટ્રેડને લગતી તાલીમ આપવામાં આવશે.
તાલીમ ક્યાં અપાશે ઈન્ડીયન ડાયમંડ ઈન્સ્ટીટ્યુટ, સુરત નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈન, અમદાવાદ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી, ગાંધીનગર ગુજરાત ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ ટ્રેઈનગ ઈન્સ્ટીટ્યુટ, રખિયાલ અમદાવાદ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ જવેલરી ડિઝાઈન
|