સૂરતમાં એક સગીરાનું અપહરણ અને બાદમાં બળાત્કાર કરવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બુધવારે જણાવ્યું કે બન્નેની ઓળખ વિષ્ણુ ચૌહાણ અને કાંતિ ચૌહાણના રૂપમાં કરવામાં આવી છે.
તેમના પર આરોપ છે કે તેમણે 18 જૂનના રોજ 14 વર્ષની બાળકીનું અપહરણ કરીને બાદમાં બળાત્કાર કર્યો. મંગળવારે સાંજે બાળકીના મામાએ આ મુદ્દે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જણાવ્યું કે બાળકી આણંદ જિલ્લાની રહેવાસી છે અને વિષ્ણુની સંબંધી છે.
|