માનવીના શરીરમાં આલ્કોહોલ સહન કરવાની શકિત મર્યાદિત હોય છે. આલ્કોહોલ અને મિથાઈલની માત્રા અતિશય વધવાના કારણે લઠ્ઠાકાંડ સર્જાય છે. શરીરમાં આલ્કોહોલ અને મિથાઇલની માત્રા વધતા મગજની નસો ફાટી નીકળે છે. લઠ્ઠાકાંડના કારણે લોકો પોતાની આંખો પણ ગુમાવી બેસે છે.
દેશી દારૂ ગાળવા માટે સડેલો ગોળ, ફટકડી, નવસાર વગેરે ચીજવસ્તુઓ નાંખવામાં આવે છે. દેશી દારૂ જો લાંબો સમય પણ પડી રહે તો તેનાથી પણ લઠ્ઠાકાંડ થવાની શકયતા રહેલી છે.
આ ઉપરાંત દેશી દારૂને વધુ કડક બનાવવા માટે કેમિકલનો ઊપયોગ થાય છે. કેમિકલની માત્રામાં વધારો થવાથી પણ લઠ્ઠાકાંડ સર્જાય છે. દારૂમાં બે પ્રકારના આલ્કોહોલ હોય છે. મિથાઇલ અને ઇથાઇલનું મિશ્રણ હોય છે. મિથાઇલ આલ્કોહોલનું મિશ્રણ વધવાથી લઠ્ઠાકાંડ સર્જાય છે.
લઠ્ઠાકાંડને કાબૂમાં લેવા માટે અસરગ્રસ્ત વ્યકિતને ઇથાઇલવાળો દારૂ પીવડાવવાથી તેને કાબૂમાં લઇ શકાય છે. જયારે એક અન્ય ટેબલેટ ફોર્મોકેઝોલ આપવાથી નિયંત્રણમાં આવે છે પરંતુ આ ટેબલેટ ભારતમાં ઉપલબ્ધ નથી તેવુ સિવિલ હોસ્પિટલના ટોકિસકોલોજીસ્ટ ડોકટર તેજસ પ્રજાપતિએ જણાવ્યું હતું.
|