મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > અમદાવાદ લઠ્ઠામાં 131ના મોત !
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અમદાવાદ લઠ્ઠામાં 131ના મોત !
મોતનો સત્તાવાર આંકડો 108
વેબ દુનિયા
P.R

અમદાવાદમાં લઠ્ઠાકાંડના ચોથા દિવસે પણ મોતનો સીલસીલો અવિરત રહ્યો છે. ગત રાત્રે ત્રણ લોકોના ખોખરામાં અને ચામુંડા સ્મશાનગૃહ નજીક એક વ્યકિત અને શારદાબેન હોસ્પિટલમાં બે વ્યકિતઓના મોત થતાં કુલ મૃતકાંક 108 પર પહોંચ્યો છે જ્યારે બિન સત્તાવાર રીતે આ આંકડો 131 જાણવા મળી રહ્યો છે. જ્યારે 194 જેટલા દર્દીઓ હજું સારવાર હેઠળ છે.

મધરાતે ખાબકેલા ભારે વરસાદમાં પણ શહેરની હોસ્પિટલોમાં અસરગ્રસ્તો આવવાનો સિલસીલો જારી રહ્યો હતો. મોટી સંખ્યામાં અસરગ્રસ્તો હોસ્પિટલમાં આવી રહ્યા હોવાથી તેમની પુરતી સારવાર માટે તંત્ર પણ નિષ્ફળ નીવળી રહ્યુ છે. જેને કારણે મોતનો આંકડો હજુ પણ વધે તેમ લાગી રહ્યુ છે.

આ ઉપરાંત શારદાબેન હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાઓ પૈકી વધુ ૨ વ્યકિતઓના મોત થયા હતા. ગતરાત્રીથી સવાર સુધીમાં ખોખરા, મેઘાણીનગર, ઓઢવ, રખિયાલ, અમરાઇવાડી, હિરાવાડી, બાપુનગર વગેરે વિસ્તારોમાં ઝેરી દારૂના કારણે અસરગ્રસ્ત બનેલા લોકોને મોટાપાયે શારદાબેન હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી રહ્યા છે. જો કે શારદાબેન હોસ્પિટલમાં ખાટલાની સંખ્યા ખુટી પડતા રોષ પ્રસરી રહ્યો છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
પિતાના મોતથી પુત્રીનો આપઘાત
કસુરવારોને નહીં છોડાય - મોદી
મહાઠગ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરાશે
મૃત્યુઆંક 200થી વધુ - મોઢવાડિયા
બે હજાર બુટલેગરોની ધરપકડ !
લઠ્ઠાકાંડમાં મોતની સદી, 107 આઉટ