ગોરખપુરથી બાંદ્રા જનારી અવધ એક્સપ્રેસમાં થયેલા ફાયરિંગમાં એક મુસાફરનું મૃત્યુ નિપજ્યું છે. આ ઘટના ગોધરા નજીક સર્જાઈ જ્યારે કેટરિંગ કરનારા સાથે માત્ર 15 રૂપિયાના વિવાદને કારણે એક વ્યક્તિએ ગોળી ચલાવી.
આ શખ્સે દેશી તમંચાથી વેટર પર ગોળી ચલાવી પરંતુ ગોળી એક મુસાફરને લાગી ગઈ જે શખ્સનું મૃત્યુ નિપજ્યું છે તે ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.