ધાર્મિક ગુરૂ આશારામ બાપુના પુત્ર નારાયણ સાંઈના પૂર્વ ગુપ્ત સહાયકે, આશારામ આશ્રમની બહાર બે બાળકોના મોતની ઘટનાની તપાસ કરી રહેલ સમિતિની સામે કહ્યુ છે કે સાઈ તંત્રમંત્ર કે જાદુ ટોટકામાં સંડોવાયેલો છે.
બે બાળકોના મોતની ઘટનાની તપાસ કરી રહેલ ડીકે ત્રિવેદી સમિતિની સામે હરિયાણાના પાનીપતના મહેન્દ્ર ચાવડાએ સ્વીકાર કર્યુ કે તેઓ 2001થી 2005 સુધી સાંઈના ગુપ્ત સહાયક હતા અને તેમને સાંઈને જાદુ-ટોટકા કરતા જોયા હતા.
અત્રે એ ઉલ્લેખનીય છે કે દીપેશ વાઘેલા(10)અને અભિષેક વાઘેલા(11)નામના બે બાળકોની લાશ આશારામના આશ્રમની પાસે સાબરમતી નદીમાં મળ્યા પછી ઘટનાની તપાસ માટે આ સમિતિનુ ગઠન કરવામાં આવ્યુ હતુ. આ આશ્રમમાં એ બંને બાળકો ભણતા હતા.
ચાવડાએ કહ્યુ કે તેમણે સાંઈને મધ્યપ્રદેશના ઝાબુઆમાં એક નદી કિનારે તંત્ર-મંત્ર કરતા જોયા હતા. 'શુન્હુઆ'ના મુજબ દુર્ઘટનામાં 19 લોકોનુ ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઈ ગયુ, જ્યારે કે સાત લોકોનુ સારવાર દરમિયાન મૃત્યુ થયુ.