રશિયાની યાત્રાએથી તાજેતરમાં જ પરત ફરેલા ગુજરાતના મુખ્યમંત્રી
ND
N.D
નરેન્દ્ર મોદીને કથિત રીતે સ્વાઇન ફલૂનો ચેપ લાગ્યો હોવાના સમાચારો સમગ્ર ગુજરાતભરમાં ફેલાઈ ચૂક્યાં છે.
બુધવારે સાંજે રશિયાથી પરત ફર્યા બાદ મુખ્યમંત્રી મોદીમાં શરદી અને તાવના લક્ષણો જોવા મળ્યાં હતાં તેમણે છતાં તેમણે ગુરૂવારે સવારે કેબિનેટની બેઠકમાં હાજરી આપી હતી. બાદમાં તેમણે પોતાને સ્વાઈન ફ્લૂ છે કે, નહીં તે જાણવા માટે પરીક્ષણ પણ કરાવ્યું હતું પરંતુ ટેસ્ટ પોઝીટીવ છે કે, નેગેટીવ એ અંગેનો જવાબ આપવા અંગે સંબંધિત તંત્ર દ્વારા મૌન સેવવામાં આવ્યું હતું. જોકે, મુખ્યમંત્રીને સ્વાઇન ફ્લૂની અક્સીર સારવાર માટે અપાતી દવા ટેમીફ્લૂના પ્રિવેન્ટિવ ડોઝ અપાયા હોવાનું જાણવા મળ્યું છે.