ગુજરાતના વડોદરામાં આજે મૈરાથનનુ આયોજન કરવામાં આવ્યુ. લોકોને ટ્રાફિક એજ્યુકેશન આપવાના હેતુથી આયોજીત આ દોડમાં 30 હજાર લોકોએ ભાગ લીધો.
દોડને પાંચ શ્રેણીમાં આયોજીત કરવામાં આવી હતી. વિકલાંગો માટે આયોજીત દોડ એક કિલોમીટરની હતી. બીજી બાજુ સામાન્ય લોકોની દોડ ત્રણ, પાંચ અને 15 અને 21 કિલીમીટરની હતી. ગુજરાતમાં પહેલીવાર થઈ રહેલ આ દોડમાં ફ્લેગ ઓફ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યુ.
દોડમાં ફિલ્મી કલાકારોની સાથે સાથે રમત જગતના જાણીતા ખેલાડી મિલ્ખા સિંહ, કપિલ દેવ, કિરણ મોરે, ઈરફાન યૂસુફ અને ફિલ્મી કલાકાર પરેશ રાવળ ઉપરાંત ઘણા કલાકારોએ લોકોને પ્રોત્સાહન આપ્યુ. દોડનો હેતુ લોકોને ટ્રાફિક એજ્યુકેશન આપવાનો હતો.