મુખ પૃષ્ઠ > ધર્મ > શ્રદ્ધા-અંધશ્રદ્ધા > લેખ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગંદા નાલામાં નહાવ, ભૂત-પ્રેત ભગાવો

W.DW.D
અમે હુસૈનની ટેકરી પર આખો દિવસ વિતાવ્યો. અહીં માથુ ટેકવા આવેલાં લોકો સાથે ચર્ચા કરી કેટલાક લોકોએ જણાવ્યું કે હુસૈનના ટેકરી પર તેઓની અતૂટ શ્રદ્ધા છે. જેમાં હિન્દુ અને મુસલમાન બંનેનો સમાવેશ થાય છે. કેટલાક લોકો એવા પણ હતા કે માનતા પૂરી થયા બાદ તૂલા-દાન કરી રહ્યાં હતા. આવા જ એક વ્યકિત પવને જણાવ્યું કે "આજે તેઓ જે કાંઈ પણ છે તે બાબા સાહેબને કારણે છે. બાબાની કૃપાથી જ આજે તેમની પાસે ભરપૂર ઘન-દૌલત-નામ છે. હવે તે પોતાના બીમાર બાળક પર બાબાની કૃપા ઈચ્છે છે.

ટેકરી પર આખો દિવસ રહ્યાં પછી અમને અહેસાસ થયો કે અહીં આવતાં રોગીઓમાં 80% તો મહિલાઓ છે. અને એ બધા નિમ્ન વર્ગથી જોડાયેલ છે. કેટલાક લોકો એવા પણ છે, જે ઉચ્ચશિક્ષિત હોવા છતાં માને છે કે તેમના પર ભૂત-પ્રેત કરવામાં આવેલ છે, ખરાબ આત્માની છાયા છે. આવો જ એક વિદ્યાર્થી છે ઈરફાન, જે અમેરિકામાં તાલીમ લઈ રહ્યો છે પણ ભૂત-પ્રેતના કારણે લાંબા સમયથી અહીંની ધર્મશાળામાં રોકાયો છે. આ લોકો અહીં દિવસ-રાત મકબરામાં પ્રાર્થના કરે છે અને હુસૈન સાહેબનો શૌક પાળે છે. તેમનું કહેવું છે કે અહીં આવ્યા પછી તેમના અંતરાત્માને શાંતિ મળે છે.

W.DW.D
હુસૈન ટેકરીની મુલાકાત લીધા પછી અમારી રાતની ઉંઘ હરામ થઈ ગઈ. બીજા દિવસે અમે મનોચિકિત્સકોને મળ્યાં કે કોઈ પણ વ્યક્તિ પોતાના શરીર પર જાતે આટલો જુલ્મ કેવી રીતે કરી શકે છે ? આ વાત પર મનોચિકિત્સક ડૉ. દીપક મંશા રમાનીનુ કહેવું છે કે, "આપી શકે છે અગર તે વ્યક્તિ પોતાનું માનસિક સંતુલન ગુમાવી દે તો.'

ડૉ રમાનીનું કહેવું છે કે "ખરાબ આત્મા વળગવી" ને અમે મેડિકલ ભાષામાં "હિસ્ટીરિયાનો દૌરો" પડ્યો છે એવુ કહીએ છીએ. જેમાં માણસ પાગલોની જેમ લગાતાર નાચતા રહે છે. તેની સાથે જ સીડોસીરસ નામની એક બીમારી હોય છે જેમાં ખેંચ કે તાણ જેવા દૌરા પડે છે. આવી જ રીતે કેટલાક લોકો ગુમસુમ થઈ જાય છે. અમે આવા લોકોની સારવાર દર્દી સાથે વાતચીત કરીને અને તેઓની માનસિક સ્થિતિ ખરાબ થવા પાછળનું કારણ જાણીને કરીએ છીએ.

આવા રોગીઓની સારવાર બહુ સરળતાથી કરી શકાય છે. ભૂત-પ્રેત, બાહરી હવાની માન્યતાઓ આ બધુ નિમ્ન વર્ગમાં વધુ જોવા મળે છે. આ લોકો અત્યાર સુધી સો વર્ષ પહેલાના જમાનામાં જીવી રહ્યાં છે. આમને ચિકિત્સકીય સારવાર આપવી જરૂરી છે. આ પ્રકારના નીમ-હકીમો કે ભૂવા-ભરાડા પાસેથી સારવાર કરાવવાથી સામાન્ય માનસિક બીમારી પણ પૂરી રીતે પાગલપણામાં બદલાઈ શકે છે.

એક બાજુ વિજ્ઞાનનું જ્ઞાન તો બીજી બાજુ લોકોનો અતૂટ અંધવિશ્વાસ, બંને અમોને સિક્કાની બે બાજુ જેવા લાગ્યાં. પણ જાવરાની હુસૈન ટેકરીના પ્રત્યે તો પ્રશાસનની લાપરવાહી સાચે જ ચિંતાનો વિષય છે.
વિડીયો જુઓ
<< 1 | 2 | 3 
ફોટોગેલેરી
હુસૈન ટૈકરીની ફોટો ગેલેરી
વેબદુનિયા ચર્ચા
ભૂત-પ્રેતથી છુટકારો કોણ અપાવી શકે છે? ભૂવા કે મનોચિકિત્સક
ઘણું બધુ
અશ્વથામા કોણ હતા ?