મુખ પૃષ્ઠ > ધર્મ > શ્રદ્ધા-અંધશ્રદ્ધા > લેખ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
દારૂ પીતી કાળ ભૈરવની મૂર્તિ !!!
શું મૂર્તિ પણ દારૂ પી શકે છે ?
શ્રુતિ અગ્રવાલ

W.DW.D
શું મૂર્તિ પણ દારૂ પી શકે છે?...... તમે કહેશો ના એવું તો બને જ નહિ. અરે મૂર્તિ કેવી રીતે દારૂ પી શકે ? મૂર્તિ તો નિર્જીવ હોય છે નિર્જીવ વસ્તુઓને ભૂખ કે તરસનો અનુભવ થતો નથી એટલા માટે તે કાંઇ પણ ખાઇ-પી ન શકે પરંતુ ઉજ્જૈનના કાળભૈરવના મંદિરમાં આવુ નથી થતું. વામ માર્ગી સંપ્રદાયના આ મંદિરમાં કાળભૈરવની મૂર્તિને ફક્ત દારૂ જ ચઢાવાતો નથી, પરતુ બાબા મદિરાપાન પણ કરે છે.

આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં અમોએ આ તથ્યને ચકાસવાની કોશીશ કરી. અમારી આ કોશીશમાં સૌથી પહેલા અમે ઉજ્જૈનનો રસ્‍તો લીધો..... મહાકાળના આ નગરને મંદિરોનું નગર કહેવામાં આવે છે. પરંતુ અમારું લક્ષ હતું એક અનોખુ મંદિર કાળભૈરવ. આ મંદિર મહાકાળથી લગભગ પાંચ કિલોમીટર દૂર આવેલું છે. થોડી જ વારમાં અમે મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે આવ્યા.

W.DW.D
મંદિરની બહાર સજાવેલી દુકાનો પર અમોને ફૂલ, પ્રસાદ, શ્રીફળની સાથે સાથે દારૂની નાની-નાની બોટલો પણ નજરે ચડી. હજી અમો કંઇ સમજી-વિચારી તે પહેલા અમારી સામે કેટલાક શ્રદ્ધાળુઓએ પ્રસાદની સાથે-સાથે દારૂની બોટલો પણ ખરીદી.

કાળભૈરવની ફૉટો ગેલેરી જોવા અહીં ક્લીક કરો.

જ્યારે અમે દુકાનદાર રવિ વર્મા સાથે આ બાબતે ચર્ચા કરી તો તેઓએ જણાવ્યું કે, બાબાની શરણે આવનારા દરેક ભક્ત તેમને દારૂ અચૂક ચઢાવે છે. બાબાના મોઢા પાસે દારૂની વાટકી અડકાવ્યા બાદ તેમાથી ધીરે ધીરે દારૂ ગાયબ થઇ જાય છે.

રવિ પાસેથી જાણકારી મેળવ્યા પછી અમે મંદિરની અંદર ગયા.... મંદિરની અંદર ભક્તોની ગીર્દી હતી. દરેક ભક્તના હાથમાં પ્રસાદની છાબડી હતી. આ છાબડીમાં ફૂલ અને શ્રીફળની સાથે સાથે દારૂની એક નાની બોટલ પણ અવશ્ય દેખાતી હતી... અમે મંદિરના ગર્ભ ગૃહમાં એક બાજુ ઉભા રહી ગયાં અને જોવા લાગ્યા કે બાબા કેવી રીતે મદિરાપાન કરે છે.
વિડીયો જુઓ
1 | 2 | 3  >>  
ફોટોગેલેરી
કાલભૈરવની ફોટો ગેલેરી
વેબદુનિયા ચર્ચા
મૂર્તિઓ દારૂ કે દૂધ પી શકે છે?
ઘણું બધુ
જ્યાં નહાવાંથી ભાગે પક્ષઘાતનો અસાધ્ય રોગ
ગંદા નાળામાં નહાવ, ભૂત-પ્રેત ભગાવો  
અશ્વથામા કોણ હતા ?
શું અશ્વથામા જીવીત છે?