હવે અહીંયા જેટલા પણ દર્શનાર્થીઓ આવે છે તે બાબાને ભોગ જરૂર ચડાવે છે. મંદિરના પૂજારી ગોપાલ મહારાજ જણાવે છે કે અહીંયા વિશિષ્ટ મંત્રો દ્વારા બાબાને અભિમંત્રીત કરીને તેમને દારૂ ચઢાવવામાં આવે છે જેને તેઓ ખુબ જ ખુશીની સાથે સ્વીકાર પણ કરે છે અને પોતાના ભક્તોની બધી જ ઇચ્છાઓ પૂર્ણ કરે છે.
કાળ ભૈરવના દારૂ પીવા પાછળ શું રહસ્ય છે તેને લઇને ખુબ જ લાંબો વાદ-વિવાદ થઇ ચૂક્યોં છે. વર્ષોથી આ મંદિરની સેવા કરનાર રાજુલ મહારાજ જણાવે છે કે તેઓના દાદાના જમાનામાં એક અંગ્રેજ અધિકારીએ મંદિરની ખુબ જ ઉંડી તપાસ કરાવી હતી પરંતું તેને હાથ કઇ જ લાગ્યું નહી... તેને મૂર્તિની આજુબાજુની જગ્યાનું પણ ખોદકામ કરાવ્યું પરંતુ પરિણામ વ્યર્થ. તે પછી તેઓ પણ કાળ ભૈરવના ભક્ત બની ગયાં. ત્યાર બાદ અહીયાં દારૂને વાઇન તરીકે ઉચ્ચારવાની પ્રથા થરૂ થઇ જે હજુ સુધી ચાલુ છે.
મંદિરમાં ઘણી વાર સુધી બેઠા અને આજુબાજુની જગ્યાઓનું નિરિક્ષણ કર્યા બાદ અને બધા જ જાણકાર લોકો સાથે વાતચીત કર્યા પછી અમને પણ સંપૂર્ણ વિશ્વાસ આવી ગયો કે જ્યાં આસ્થા હોય છે ત્યાં શંકા માટે કોઇ સ્થાન નથી.
ક્યારથી શરૂ થઈ આ પરંપરા:- કાળ ભૈરવને દારૂ પીવડાવવાની માન્યતા વર્ષોથી ચાલી રહી છે. આ શરૂઆત ક્યાં, કેવી રીતે અને કેમ થઇ તે કોઇ જ નથી જાણતું. અહીયાં આવનારા લોકો અને પંડિતોનું કહેવું છે કે તેઓ નાનપણથી જ ભૈરવ બાબાને ભોગ લગાવતાં આવી રહ્યાં છે, જેનો તેઓ ખુશી ખુશી સ્વીકાર પણ કરે છે. તેઓના પૂર્વજો પણ તેઓને આવું જ જણાવે છે કે આ એક તાંત્રીક મંદિર હતું, જ્યાં બલી ચડાવ્યા બાદ માંસની સાથે સાથે દારૂ પણ ચઢાવવામાં આવતો હતો. હવે બલી તો બંધ થઇ ગઇ પરંતુ દારૂ ચઢાવવાનો રિવાજ એ જ રીતે ચાલું છે. આ મંદિરની મહત્તાને પ્રશાસનની પણ મંજૂરી મળેલી છે. ખાસ પ્રસંગો પર પ્રશાસન તરફથી પણ બાબાને દારૂ ચઢાવવામાં આવે છે.
|