કુંડળીમાં ફેણ ચઢાવીને બેઠો છે કાળસર્પ યોગ
|
ફોટો ગેલેરી જોવા માટે અહીં ક્લીક કરો.
આસ્થા અને અંધવિશ્ર્વાસની આ કડીમાં અમારો પડાવ છે નાસિકના એક ત્રયંબક ગામમાં કે જ્યાં દર મહિને હજોરો લોકો કાળસર્પ યોગની ગ્રહ શાંતિ કરાવા આવે છે... અમારા આ પ્રવાસની શરૂઆત નાસિક બસ સ્ટોપ પરથી થઇ. અમે નાસિકથી ત્રયંબક જવા માટે યોગ્ય વાહનની શોધમાં હતાં... ત્યારેજ ઘણા ટેક્સીવાળાઓએ અમારી જ પૂછ-પરછ શરૂ કરી દીધી, જેમકે કયાં જવું છે ત્યાંથી લઇને આ વાતચીત કાળસર્પ યોગ ઉપર જઇને પુરી થઇ હતી. થોડીક વાર સુધી ભાવ-તાલ કર્યા પછી અમે એક ટેક્સીમાં બેસી ગયાં. આ ટેક્સી ચાલકનું નામ ગણપત હતું..
|
આ વાતચીતથી અમને માલુમ પડયું કે દરરોજ હજારોની સંખ્યામાં લોકો કાળસર્પ યોગથી છુટકારો મેળવા માટે ત્રયંબક આવે છે. વાતચીત દરમ્યાન સમય કયાં જતો રહ્યો તે માલુમ જ ના પડયું અને અમે અમારા લક્ષ્ય ત્રયંબકેશ્ર્વર પહોંચી ગયા. દરેક બાજુ મહામૃત્યુંજંય જાપ અને શિવસ્તુતીના શ્ર્લોક ગાંજી રહ્યા હતાં. સૌથી પહેલા અમે ગોદાવરીના કુંડ કુશાવર્ત તીર્થના ઘાટ ઉપર ગયા.
અમે જોયું કે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગોદાવરી કુંડમાં સ્નાન કરી રહ્યા હતા. સ્નાન પછી બધાએ નવા સફેદ વસ્ત્રો પહેરયાં. ગણપત (અમારો ડ્રાઇવર)નું માનીએ તો આ બધા કાળસર્પ પૂજા અથવા નારાયણ નાગબલિની પૂજામાં હાજર થવા જવાના હતાં.
|
ખાંડે પરિવારની જેમ અનેક લોકો અહયાં કાળસર્પ યોગના નિવારણ માટે આવ્યા હતા. તેમાં સૌથી આશ્ર્ચર્યની વાત એ હતી કે એમાં વધારે ભણેલા હતા.
સર્વેક્ષણમાં ભાગ લેવા માટે અહીં ક્લીક કરો...
|
અકોલકરજીનું કહેવાનું હતું કે વિશ્ર્વમાં 20 ટકા લોકોની કુંડળીમાં આ યોગ હોય છે જેના કારણે તેઓને જાત-જાતની મુશકેલીઓનો સામનો કરવો પડતો હોય છે. અકોલકરજીના ત્યાં મુંબઇથી પ્રદીપ્ત કુમાર સેન અને સુંનદા સેન એમની કુંડળીમાં ફેણ ચઢાવીને બેઠેલા કાળસર્પ યોગનું નિદાન કરાવવા આવ્યા હતા. સુનંદાજીનું કહેવાનું હતું કે અમારા જીવનમાં એકાએક મુશકેલીઓ આવવા લાગી. બાબો ડોકટર છે પરંતુ કામ નથી કરતો.
| |
|
આ પૂજાની વિધિ જોઇને પછીને લાગ્યું કે આ દોષની મુક્તિ પછી આ લોકોને મીઠા ફળ મળયા કે નહીં પરંતુ આ પંડિતોં પર ભગવાનની કૃપાદ્દષ્ટિ થઇ ગઇ છે.
આ પૂજાને કરાવવાવાળા ઘણા લોકોનું કહવું હતું કે તેઓને ફાયદો થયો છે તો ઘણા લોકો કહે છે કે આ પૂજા અમારા માટે મનનું ધન છે. બસ અમારી કંડળી દોષમુક્ત છે અમને તેનાથી જ સંતોષ છે.
|
અહીં આવીને એ પણ માલુમ પડયું કે અનેક પંડિતોંએ પૂજાના માટે ખાસ રકમ નક્કિ કરી દીધી છે. થોડાક એક સાથે સમૂહમાં પૂજા કરાવે છે જેનાથી યજમાનોંને મંત્રોનો સાચો અર્થ અને ઉચ્ચારણની પણ ખબર નથી પડતી. પૂજા માટે સારી પૂજા સામગ્રીની વ્યવસ્થા પંડિત જાતે જે કરીને રાખે છે બસ યજમાને અહયા આવવાનું હોય છે. તેઓનું રોકાવવાનું અને ખાવા-પીવાની વ્યવસ્થા પણ આ જ પંડિતો કરી આપે છે. આ મુજબ ત્રયંબકમાં આ પૂજાએ એક મોટા વ્યવસાયનું રૂપ ધારણ કર્યું છે.