1. ધર્મ
  2. »
  3. શ્રદ્ધા-અંધશ્રદ્ધા
  4. »
  5. અંધશ્રદ્ધા

કુંડળીમાં ફેણ ચઢાવીને બેઠો છે કાળસર્પ યોગ

કુંડળીમાં ફેણ ચઢાવીને બેઠો છે કાળસર્પ યોગ
W.DW.D
શું તમારી કુંડળીમાં બેઠેલો ગ્રહ તમારા જીવનમાં થનારી ઘટનાઓને પ્રભાવિત કરી શકે છે ? શું આ ગ્રહોની એક વિશેષ સ્થિતિ તમારા જીવનમાં ઉથલ-પાથલ મચાવી શકે છે ? તમે કહેશો કે આ બધુ બકવાસ છે... તમે એને નહી માનતા. પરંતુ વિશ્વાસ નહી થાય તમને કે આ 21મી સદીમાં પણ આવી વાતો ઉપર વિશ્વાસ કરવાવાળા લોકોની કમી નથી... એમાં તો આ પ્રકારનાં યોગોમાંથી એક કાળસર્પ યોગને આપણી જ સદિમાં વધારે મહત્વ આપવામાં આવ્યું છે.

ફોટો ગેલેરી જોવા માટે અહીં ક્લીક કરો.

આસ્થા અને અંધવિશ્ર્વાસની આ કડીમાં અમારો પડાવ છે નાસિકના એક ત્રયંબક ગામમાં કે જ્યાં દર મહિને હજોરો લોકો કાળસર્પ યોગની ગ્રહ શાંતિ કરાવા આવે છે... અમારા આ પ્રવાસની શરૂઆત નાસિક બસ સ્ટોપ પરથી થઇ. અમે નાસિકથી ત્રયંબક જવા માટે યોગ્ય વાહનની શોધમાં હતાં... ત્યારેજ ઘણા ટેક્સીવાળાઓએ અમારી જ પૂછ-પરછ શરૂ કરી દીધી, જેમકે કયાં જવું છે ત્યાંથી લઇને આ વાતચીત કાળસર્પ યોગ ઉપર જઇને પુરી થઇ હતી. થોડીક વાર સુધી ભાવ-તાલ કર્યા પછી અમે એક ટેક્સીમાં બેસી ગયાં. આ ટેક્સી ચાલકનું નામ ગણપત હતું..

W.DW.D
હજું થોડીક ગાડી ચાલી હશે ત્યાં ટેક્સી ડ્રાઇવર ગણપતે એક એજંટની જેમ પૂછપરછ શરૂ કરી દીધી.. શું તકલીફ છે ? પૂજા કરાવી છે ? કાળસર્પ યોગ છે કે મોટી પૂજા (નારાયણ નાગ બલી) કરાવાની છે. પંડિત પહેલાથી તમારે નક્કિ છે.. જો ના હોય તો મારા પરિચયમાં એક સારા પંડિતજી છે.

આ વાતચીતથી અમને માલુમ પડયું કે દરરોજ હજારોની સંખ્યામાં લોકો કાળસર્પ યોગથી છુટકારો મેળવા માટે ત્રયંબક આવે છે. વાતચીત દરમ્યાન સમય કયાં જતો રહ્યો તે માલુમ જ ના પડયું અને અમે અમારા લક્ષ્ય ત્રયંબકેશ્ર્વર પહોંચી ગયા. દરેક બાજુ મહામૃત્યુંજંય જાપ અને શિવસ્તુતીના શ્ર્લોક ગાંજી રહ્યા હતાં. સૌથી પહેલા અમે ગોદાવરીના કુંડ કુશાવર્ત તીર્થના ઘાટ ઉપર ગયા.

અમે જોયું કે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગોદાવરી કુંડમાં સ્નાન કરી રહ્યા હતા. સ્નાન પછી બધાએ નવા સફેદ વસ્ત્રો પહેરયાં. ગણપત (અમારો ડ્રાઇવર)નું માનીએ તો આ બધા કાળસર્પ પૂજા અથવા નારાયણ નાગબલિની પૂજામાં હાજર થવા જવાના હતાં.

W.DW.D
અમે એક પરિવાર સાથે વાતચીત કરી. આ પરિવાર યાવતમાલ થી ત્રયંબક એમની દિકરીની કાળસર્પ પૂજાના માટે આવ્યા હતાં. પરિવારના વડિલ સુરેશચંદ ખાંડેએ જણાવ્યું કે તેમની દિકરી શ્ર્વેતાના લગ્ન કયાંય નક્કિ નથી થતાં. પંડિતનું કહયું છે કે જયાં સુધી અમે એની કંડળીમાં રહેલા કાળસર્પ યોગનું નિરાકરણ નહી કરાવીએ ત્યાં સુધી એમના લગ્ન નહી થાય. શ્ર્વેતાની માં કિરણે જણાવ્યું કે અમારા એક જાણીતા સ્નેહીના છોકરાની કુંડળીમાં પણ આ યોગ હતો. તેમના પણ લગ્ન નહોતા થતાં એટલે તેમણે આ પૂજા કરાવી ત્યાર પછી તરત જ એમના લગ્ન થઇ ગયાં.

ખાંડે પરિવારની જેમ અનેક લોકો અહયાં કાળસર્પ યોગના નિવારણ માટે આવ્યા હતા. તેમાં સૌથી આશ્ર્ચર્યની વાત એ હતી કે એમાં વધારે ભણેલા હતા.

સર્વેક્ષણમાં ભાગ લેવા માટે અ‍હીં ક્લીક કરો...


W.DW.D
હવે અમે કાળસર્પની પૂજા વિધિ કરવાવાળા પંડિત કમલાકર અકોલકરજીનો સંપર્ક કર્યો. કમલાકરજીનું કહયું હતું કે જો તમારી કુંડળીમાં રાહૂ અને કેતૂના વચ્ચે બધા ગ્રહો આવ્યા તો આ કાળસર્પ યોગ બને છે. આજકાલ આ દોષ વધારે થવા લાગ્યો છે કારણકે આપણે આપણા પુર્વજોનું તર્પણ અને શ્રાદ્ધ નથી કરતા. આ યોગના નિવારણ માટે આહ્યા ખાસ પ્રકારની પૂજા થાય છે. આ પૂજામાં ચાંદીના નવ નાગોં અને સોનાના એક નાગની વિશેષ પૂજા થાય છે. આ પૂજા લગભગ બે કલાક સુધી ચાલે છે જેમની શરૂઆત ગણેશ પૂજાથી થાય છે અને હવન પછી દોષ સમાપ્ત માનવામાં આવે છે.

અકોલકરજીનું કહેવાનું હતું કે વિશ્ર્વમાં 20 ટકા લોકોની કુંડળીમાં આ યોગ હોય છે જેના કારણે તેઓને જાત-જાતની મુશકેલીઓનો સામનો કરવો પડતો હોય છે. અકોલકરજીના ત્યાં મુંબઇથી પ્રદીપ્ત કુમાર સેન અને સુંનદા સેન એમની કુંડળીમાં ફેણ ચઢાવીને બેઠેલા કાળસર્પ યોગનું નિદાન કરાવવા આવ્યા હતા. સુનંદાજીનું કહેવાનું હતું કે અમારા જીવનમાં એકાએક મુશકેલીઓ આવવા લાગી. બાબો ડોકટર છે પરંતુ કામ નથી કરતો.

W.DW.D
અમે કોર્ટ-કચેરીમાં ફસાયેલા છીએ. એક પંડિતે જણાવ્યું કે અમારી બન્નેની કુંડળીમાં કાળસર્પ યોગ છે જેના કારણે અમારે મુશકેલી સહન કરવી પડે છે આથી અમે અહયા આવ્યાં છીએ. અહીયા પૂજાની વિધિ જોઇને પછી અમે ગામ તરફ ચાલવાનું શરૂ કર્યું. દરેક પંડિતના ઘરમાં પૂજા-પાઠ થતો હતો. માલુમ પડયું કે બધા લોકો કાળસર્પ નિવારણ પૂજા કરાવી રહયા છે. કયાંક તો વીસ-વીસ લોકોના આખા સમૂહને સાથે જ પૂજા કરાવવામાં આવતી હતી. આ સમૂહમાં બે યા ત્રણ પંડિત માઇકની મદદ થી મંત્ર વાંચતા હતા.
આ પૂજાની વિધિ જોઇને પછીને લાગ્યું કે આ દોષની મુક્તિ પછી આ લોકોને મીઠા ફળ મળયા કે નહીં પરંતુ આ પંડિતોં પર ભગવાનની કૃપાદ્દષ્ટિ થઇ ગઇ છે.

આ પૂજાને કરાવવાવાળા ઘણા લોકોનું કહવું હતું કે તેઓને ફાયદો થયો છે તો ઘણા લોકો કહે છે કે આ પૂજા અમારા માટે મનનું ધન છે. બસ અમારી કંડળી દોષમુક્ત છે અમને તેનાથી જ સંતોષ છે.

W.DW.D
પરંતુ સિક્કાની બીજી બાજુ એ પણ છે કે આ પૂજાની વિધિ બાબતે પ્રાચીન ગ્રંથોમાં વર્ણન નથી મળતું. ના તો આજથી પાંચ-સાત વર્ષ પહેલા આ યોગના નિવારણ માટે આટલા મોટા પ્રમાણમાં પૂજા થતી હતી.

અહીં આવીને એ પણ માલુમ પડયું કે અનેક પંડિતોંએ પૂજાના માટે ખાસ રકમ નક્કિ કરી દીધી છે. થોડાક એક સાથે સમૂહમાં પૂજા કરાવે છે જેનાથી યજમાનોંને મંત્રોનો સાચો અર્થ અને ઉચ્ચારણની પણ ખબર નથી પડતી. પૂજા માટે સારી પૂજા સામગ્રીની વ્યવસ્થા પંડિત જાતે જે કરીને રાખે છે બસ યજમાને અહયા આવવાનું હોય છે. તેઓનું રોકાવવાનું અને ખાવા-પીવાની વ્યવસ્થા પણ આ જ પંડિતો કરી આપે છે. આ મુજબ ત્રયંબકમાં આ પૂજાએ એક મોટા વ્યવસાયનું રૂપ ધારણ કર્યું છે.
About Writer
શ્રુતિ અગ્રવાલ