મુખ પૃષ્ઠ > ધર્મ > શ્રદ્ધા-અંધશ્રદ્ધા > લેખ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
દેવાસનું વધતું શિવલીંગ અને મંદિર !
શું પ્રાણીઓની જેમ શિવલીંગ અને મૂર્તિઓ વધે છે ?
શ્રુતિ અગ્રવાલ
W.DW.D
શું ભગવાન તેમના ભક્તોના ક્લ્યાણ માટે પોતે પ્રગટ થાય છે? એક સજીવ માણસની જેમ મૂર્તિઓનો પણ આકાર વધે છે? શું ચમત્કાર વાસ્તવિક હોય છે? આ એવા પ્રશ્નો છે કે જેમના જવાબ કોઈ નથી જાણતું, પરંતુ ધર્મમાં માનનારા દરેક શ્રદ્ધાળુઓ ક્યારેક ને ક્યારેક આવા ચમત્કારોથી ચકિત જરૂર થાય છે. ક્યારેક કોઇ વૃક્ષની અંદર તેમને પોતાના ભગવાન દેખાય છે તો ક્યારેક પ્રસાદ તેની જાતે જ ગાયબ થઈ જાય છે. આ વખતે આસ્થા અને અંધવિશ્વાસની અમારી પ્રસ્તુતિમાં અમે આવા જ એક મંદિરે પહોચ્યા. હવે આ મંદિરની સાથે જોડાયેલ ચમત્કાર આસ્થા છે કે અંધવિશ્વાસ એ હવે તમે જ નક્કી કરો.

ફોટો ગેલેરી જોવા માટે ક્લિક કરો...

આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં અમે તમને દેવાસના મહાકાલેશ્વર મંદિરની મુલાકાત કરાવી રહ્યાં છીએ... આ મંદિરની સાથે હજારો લોકોની આસ્થા જોડાયેલી છે... મંદિરની આસપાસ રહેનાર લોકો અને અહીંયાં નિયમિત રીતે દર્શન કરવા માટે આવનાર લોકોનું કહેવું છે કે અહીંયાનું શિવલીંગ ફક્ત સ્વયંભૂ જ નથી પરંતુ દર વર્ષે તેની ઉંચાઈ પણ વધતી રહે છે જે તેની જાતે જ એક ચમત્કાર છે. આ ચમત્કારની વાત સાંભળીને અમે મંદિરથી જોડાયેલ લોકોનો સંપર્ક કર્યો.
W.DW.D


જ્યારે અમે મંદિરમાં પહોચ્યા ત્યારે થોડાક શ્રદ્ધાળુઓ શિવ ભક્તિમાં લીન હતાં. તે લોકોને વિશ્વાસ હતો કે અહીંયા માંગવામાં આવેલી બધી જ માનતાઓ પુરી થાય છે. મંદિરમાં પ્રતિષ્ઠિત લીંગ ખાસ કરીને ઉજ્જૈનના મહાકાલ શિવલીંગ જેવું જ લાગી રહ્યું હતું... બસ એક જ વાતની અજાયબી હતી કે જ્યાં મહાકાલનું શિવલીંગ ઘસાવાને કારણે સતત ઘટી રહ્યું છે ત્યાં જ અહીં લોકોનો દાવો છે કે શિવલીંગ સતત વધી રહ્યું છે.

W.DW.D
મંદિરની પાસે રહેનાર રાધા કૃષ્ણ માલવીયનું કહેવું છે કે તે નાનપણથી જ આ શિવલીંગની આરાધના કરતાં આવ્યાં છે. તેમને જાતે જ આ શિવલીંગનો આકાર બદલતાં એટલે કે તેને વધતાં જોયું છે. તેમનો દાવો છે કે દરેક શિવરાત્રીના દિવસે આ શિવલીંગ એક તલ જેટલું વધી જાય છે... શરૂઆતમાં તો કોઇને પણ આવો અહેસાસ નહોતો થયો, પરંતુ ચાર-પાંચ વર્ષ પછી બધાને અહેસાસ થવા લાગ્યો કે શિવલીંગ સતત વધી રહ્યું છે. હવે આની ઊંચાઈ ઘણી વધી ગઈ છે. આ શિવલીંગનું સ્વયંભૂ થવા પછળની પણ એક કથા છે...
1 | 2  >>  
ફોટોગેલેરી
ફોટો ગેલેરી જોવા માટે ક્લિક કરો...
ઘણું બધુ
કુતરુ કરડે તો કુકરૈલ નાળામાં સ્નાન કરો
ફરશીવાળા બાબા
અડધી રાત પછી ઘોર-અઘોર સાધના...
સર્પદંશની સારવાર... ફોન પર...!  
દેવી બની બાળકી.......
દારૂ પીતી કાળ ભૈરવની મૂર્તિ !!!