મુખ પૃષ્ઠ > ધર્મ > શ્રદ્ધા-અંધશ્રદ્ધા > લેખ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ડામ લગાવીને રોગ ભગાડો
લોખંડના ગરમ સળિયાથી ડામ આપવાને ચાચવા કહેવાય
W.DW.D
છૂંદવવાની જેમ ચાચવાના નિશાન પણ એક વાર લગાવ્યાં પછી જીંદગીભર તમારો સાથ નિભાવે છે. અંબારામ દર્દીનું ગળુ, માથું, પેટથી માંડીને શરીરના જે ભાગમાં તકલીફ હોય છે, ત્યાં ચાચવો લગાવી દે છે. અહીં આવેલાં મોટાભાગના લોકોના શરીર પર અમે ચાચવાના જુના નિશાન જોયા, જે આ વાતની સાબિતી આપે છે કે અંબારામ પાસે લોકો વારંવાર ચાચવો લગાવવા આવે છે. દરેક રવિવારે એમના દરવાજે સારવાર કરાવવા માટે લોકોંની ભીડ જામેલી રહે છે. ઘરડાં હોય કે જુવાન, અહીં સુધી કે નવજાત બાળકનો પણ ચાચવા દ્રારા નિદાન કરવામાં આવે છે. અંબારામનો દાવો છે કે તકલીફની જગ્યાએ ચાચવો લગાવવાથી દર્દીને દુ:ખાવો નથી થતો.... પણ ઘરડાંઓની ચીસ અને બાળકોનું તીવ્ર રુદન તેમના આ દાવાને પોકળ સાબિત કરી રહ્યો હતો.

પરંતુ અંબારામને અને તેમના પર વિશ્વાસ કરતાં લોકોને આ વાતની ચિંતા નહોતી.... તેમને વિશ્વાસ હતો કે ચાચવો લગાવ્યા પછી તે સારા થઈ જશે... જ્યારે અમે રધિયા નામના એક દૂધપીતાં બાળકની માઁને પોતાના બાળકને ચાચવો લગાવવાથી રોકવાની કોશિશ કરી તો તેણે અમને સામો જવાબ આપ્યો કે 'આને વારેઘડિયે ઝાડાં થઈ જાય છે, જો ચાચવો નહી લગાવડાવ્યો તો મરી જશે. અમને ખબર છે કે અમે શું કરી રહ્યા છે' આટલું કહીને તેણે મુન્નાને પણ પાંચ ચાચવા લગાવડાવી દીધા.

W.DW.D
જ્યારે અમે ડોક્ટરને આ અંગે વાત કરી તો તેમણે કહી દીધુ કે આ પ્રકારની સારવાર કોઈ કામની નથી હોતી. આ ફક્ત રોગીયોનો માનસિક ભ્રમ જ દૂર કરી શકે છે, બીમારી નહી. પણ આ પ્રકારની અસ્વસ્થ્યકારક તરકીબો અજમાવવાથી રોગીને સંક્રમણનો ભય રહી શકે છે. પોતાના અનુભવ સંભળાવતા બાળકોના નિષ્ણાંત ડોક્ટર અશોક સોનીએ વેબદુનિયાને જણાવ્યું કે એક વાર મારી પાસે એક માતા-પિતા એક ચાર વર્ષના બાળકને લઈને આવ્યા હતા. બાળકની નાભી પાસે એક વાગેલ કોઇ નિશાન હતું, જે પાકી ગયુ હતું. દબાણ કરવાથી માતા-પિતાએ જણાવ્યું કે બાળકની નાળ સુકાઈ નહોતી, આથી બાબા પાસે ડામ(ચાચવો) આપ્યો હતો, પણ હવે ત્યાં નિશાન પડી ગયું છે. તે પછી લગભગ મહીના સુધી બાળકની રોજ મલમ-પટ્ટી કરી ત્યારે તે બાળકને રૂઝ આવી હતી.... જો માતા-પિતા થોડી બેદરકારી વધુ કરત તો બાળકનો જીવ જોખમમાં મુકાઈ જાત. પોતાની વાતને આગળ વધારતા ડૉ. સોની કહે છે કે મોટાભાગે લોકો અજ્ઞાનતા અને સમાજમાં ફેલાયેલાં ભ્રમને કારણે ઊંટ-વેદ્યયાઓના ચક્કરમાં આવી જાય છે અને પૈસા અને સ્વાસ્થ્ય બંને ગુમાવે છે. આ ઊંટ-વેદ્યયાઓના નુસ્ખાઓને કારણે કેટલીય વાર લોકોનો જીવ પણ જતો રહે છે.
વિડીયો જુઓ
<< 1 | 2 
ફોટોગેલેરી
ફોટો ગેલેરી જોવા માટે ક્લિક કરો...
ઘણું બધુ
કુતરુ કરડે તો કુકરૈલ નાળામાં સ્નાન કરો
ફરશીવાળા બાબા
અડધી રાત પછી ઘોર-અઘોર સાધના...
સર્પદંશની સારવાર... ફોન પર...!  
દેવી બની બાળકી.......
દારૂ પીતી કાળ ભૈરવની મૂર્તિ !!!