આપણો ભારત પરંપરાગત રીતિ-રિવાજો, વિવિધ ઉત્સવોનો અને અનોખી પ્રથાઓનો દેશ છે. અહી જાત-જાતની પરંપરાઓ છે. જેની શરૂઆત તો શ્રધ્ધાથી થાય છે પણ છેલ્લે તે અંધવિશ્વાસમાં ફેરવાય જાય છે. આસ્થા અને અંધવિશ્વાસની અમારી આ કડીમાં અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છે મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારમાં આવેલા ઝાબુંઆની ગાય-ગૌરી ઉત્સવની અનોખી પ્રથા. ભારતીય પરંપરામાં વર્ષોથી ગાયને માઁની ઉપમાં આપવામાં આવી છે. આદિવાસી કુંટુંબ માટે આજે પણ ગાય-ગૌરી ઉત્સવ ઉજવાય છે. આ ઉત્સવ દિવાળીના બીજા દિવસે ગોવર્ધન(પડવો)ના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે સવારે જ આદિવાસી પોતાના ગાય-બળદોને નવડાવી-ધોવડાવી તેમની પર રંગીન છાપ લગાવીને.... તેમના શિંગડા પર કલગી બાંધે છે. પછી ગામમાં આવેલા ગોવર્ધન મંદિરમાં પૂજા-અર્ચના કરવામાં આવે છે. પૂજા પછી ગામવાળા મંદિરની પાઁચ પરિક્રમા કરે છે. પરિક્રમા દરમિયાન આખા ગામની ગાયો પરિક્રમામાં જોડાઇ જાય છે. ગામની મહિલાઓ અને વડીલો ઢોલ-મંજીરાની તાલ પર અષ્ટ છાપ કવિઓના પદ ગાતા પરિક્રમા કરે છે. આ દ્દશ્ય ખૂબ જ સુંદર લાગે છે, પણ ત્યારે જ શરૂ થઈ જાય છે ગાય-ગૌરીનું એ સ્વરૂપ, જેને જોઈને ભલભલાં ધ્રુજી જાય.
ફોટો ગેલેરી જોવા અહિં ક્લિંક કરો
જી હાઁ , ગાયમાતાને મનાવવા માટે આદિવાસી પોતાની ગાય અને ગામની અન્ય ગાયોના પગ નીચે આળોટે છે....હા, હાઁ, ચોંકી ના જતાં... દિવાળીના બીજા દિવસે ઝાબુંઆમાં ગાય ગૌરી ઉત્સવ કાંઈક આ રીતે મનાવાય છે. પરિક્રમા દરમિયાન અહીંના આદિવાસી ગૌમાતાના આશીર્વાદ મેળવવાની લાલચમાં કેટલીય વાર આ જાનવરોની સામે આળોટે છે. ... અને જાનવરોનું આખુ ટોળું તેમની ઉપરથી પસાર થઈ જાય છે. આ આદિવાસી પોતાના પરિવારની ખુશી માટે ગાય-ગૌરી સામે માનતા માંગે છે.... માનતાં માટે તે આવા ભયાનક રિવાજને નિભાવે છે. આ રિવાજને નિભાવતા પહેલા તેઓ દિવસભર ઉપવાસ રાખે છે. ત્યાર પછી મંદિરની પરિક્રમા કરતાં કરતાં જાનવરોને ટોળાંની સામે આળોટે છે. અમારી સામે જ કેટલાય આદિવાસીઓ પોતાની માનતા પૂરી કરવા માટે ગાયની સમક્ષ આળોટી પડ્યાં... અને એક એક કરીને કેટલાંય ગાય-બળદ તેમને કચડીને તેમના ઉપરથી નીકળી ગયા.
|