આસ્થા અને અંધવિશ્વાસની આ વખતની કડીમાં અમે તમારી સામે લાવ્યા છીએ, એક એવુ શહેર જ્યાં રાજા રાત નથી પસાર કરી શકતા... કારણ કે તે રાજાઓને એવો ડર છે કે જો તેઓ એક રાત અહીં રોકાશે તો તેમની પાસેથી તેમનું રાજપાટ છીનવાય જશે. જી, હા, ઉજ્જૈનમાં રહી શકે છે ફકત ઉજ્જૈનના એકજ રાજા કાળોના કાળ મહાકાળ મહારાજ...
અહીં એવી પ્રચલિત માન્યતા છે કે મહાકાળ સિવાય જો બીજા રાજાને ઉજ્જૈનમાં એક રાત પણ વિતાવવી પડે તો તેનું સંપૂર્ણ રાજપાટ સમાપ્ત થઇ જાય..
આ માન્યતાને કારણે સિંધિયા રાજવીવંશના રાજાઓએ પોતાના રહેવા માટે ઉજ્જૈનની સીમાની બહાર કાલિયાદેહ મહેલ બનાવ્યો હતો. રાજા-મહારાજાઓના સમયમાં સિંધિયા પરિવારના રાજા જ નહી પણ બીજા રાજ્યોમાંથી આવનારા રાજા કે ઉચ્ચ હોદ્દેદારો પણ અવંતિકા(ઉજ્જૈનનું જુનુ નામ)માં રાત નહોતા વિતાવતા. કહેવાય છે કે જ્યારથી ઉજ્જૈન શહેર પર સિંધિયા પરિવારને રાજશાહીનો અધિકાર મળ્યો છે ત્યારથી અહીં કોઈ રાજાઓએ રાત નથી વિતાવી. સિંધિયા રાજ પરિવારના રાજા પહેલા સવારે જ ઉજ્જૈન આવતા અને મહાકાળના દર્શન પછી રાજકાર્ય પતાવી રાત થતા પહેલા જ ત્યાંની સીમાથી બહાર નીકળી જતા. જ્યારે આ પ્રક્રિયા રાજકાર્યમાં અડચણ નાખવા લાગી ત્યારે કાલિયાદેહ મહેલનું નિર્માણ કરવામાં આવ્યુ. બધી સગવડો ધરાવતા આ મહેલમાં પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મહેલની સામે જ જલકુંડ છે. આ ઉપરાંત અંદર જ સિંધિયા પરિવારના આરાધ્ય ભગવાન સૂર્યનું મંદિર પણ બનાવવામાં આવ્યુ છે.
મહેલ બન્યા પછી રાજા દિવસભર ઉજ્જૈનના રાજકાર્યમાં લાગ્યા રહેતા, પણ દિવસ ઢળતા જ કાલિયાદેહ મહેલ તરફ પાછા ફરતાં. આઝાદી પછી ન તો રાજા રહ્યા ન હી તેમના મહેલો, પણ એવુ નથી કે આ માન્યતાનો અંત આવી ગયો હોય. વર્તમાન સમયમાં પણ મોટા સરકારી હોદ્દાવાળા અને મંત્રી ઉજ્જૈનમાં રાત નથી વિતાવતા. શહેરનું સરકારી સર્કિટ હાઉસ પણ મહાકાળના સન્માનમાં શહેરની સીમાની બહાર બનાવવામાં આવ્યું છે.
|